punjab floods: પૂરની સ્થિતિ વચ્ચે માનવતા મહેકી! મુસ્લિમ સમુદાય આવ્યો પીડિતોની વ્હારે

  • India
  • September 9, 2025
  • 0 Comments

punjab floods: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ થયો છે. લોકોના ઘર, દુકાનો, ખેતરો અને કોઠાર બધું પૂરના પાણીથી નાશ પામ્યું છે. આ દરમિયાન, માનવતાનું ઉદાહરણ રજૂ કરીને, મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ સમુદાયના લોકો પંજાબમાં પૂર પીડિતોને મદદ કરવા માટે પહેલી હરોળમાં ઉભા રહ્યા. એટલું જ નહીં, ઉલેમા-એ-કરમ સાથે, મદરેસાના નાના બાળકોએ પણ આ અભિયાનમાં ભાગ લીધો. આમ પંજાબમાં પૂરની સ્થિતિમાં એકતાના અને માનવતા જોવા મળી છે. જ્યાં હિન્દુ મુસલમાનના નામે ઝઘડો કરવામાં આવે છે ત્યારે અહીં લોકો મુશ્કેલ સમયમાં એકતા બતાવે છે.

મદરેસાના નાના બાળકો પિગી બેંકો તોડીને પૂર પીડિતોને મદદ કરી

સોશિયલ મીડિયા પર અત્યારે પંજાબના આફતના પ્રસંગે પૂર પીડિતોને મદદ કરતા લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મદરેસાના નાના બાળકો પોતાની માટીની પિગી બેંકો તોડીને પૂર પીડિતોને મદદ કરવા માટે એકઠા થયેલા પૈસા આપી રહ્યા છે. આ વીડિયો પછી, ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મદરેસાઓ અને ત્યાં આપવામાં આવતા શિક્ષણ વિશે હંમેશા પ્રશ્નો ઉભા થાય છે. આજે દેશ સ્પષ્ટપણે જોઈ રહ્યો છે કે મદરેસામાં બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે.


લોકો મદરેસાઓના વિદ્યાર્થીઓની ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે. મદરેસાઓ પર હંમેશા તેમને બદનામ કરવા માટે ઉગ્રવાદ અને અલગતાવાદી વિચારધારા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરંતુ મદરેસાઓના ઉલેમા-એ-કરમે પંજાબમાં પૂર પીડિતોને મદદ કરવા માટે જે ઝડપથી ઝુંબેશ શરૂ કરી તે સાબિત કરે છે કે મદરેસાઓ ભાઈચારો શીખવે છે, અલગતાવાદ નહીં.

પૂર પીડિતોની મદદ માટે મહિલાઓએ પોતાના ઘરેણાં દાનમાં આપ્યા

અગાઉ પણ જમિયત ઉલેમા-એ-હિંદ સાથે સંકળાયેલા અધિકારીઓએ એક બેઠક યોજી હતી અને પૂર પીડિતોની મદદ માટે 10 લાખ રૂપિયા રોકડા એકત્ર કરવાની જાહેરાત કરી હતી. ઉલેમા-એ-કરમે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે શીખ સમુદાયના લોકો આપણા ભાઈઓ છે અને મુશ્કેલીના સમયે તેમને મદદ કરવી એ પુણ્યનું કાર્ય છે. જમિયત ટીમે પૂર પીડિતો માટે દાન એકત્ર કરવા ગામડાઓ અને નગરોમાં પણ જઈને કામ કર્યું હતું, જ્યાં મુસ્લિમ મહિલાઓએ પોતાના ઘરેણાં દાનમાં આપ્યા હતા અને પુરુષોએ અનાજ અને પૈસાથી મદદ કરી હતી. આપત્તિ દરમિયાન પંજાબને મદદ કરવા બદલ મુસ્લિમ સમુદાયની પ્રશંસા થઈ રહી છે.

મુસ્લિમ સમુદાયના લોકોએ પંજાબના પૂર પીડિતોને મદદ કરવા માટે રાહત સામગ્રી મોકલી

જમિયત ઉલેમા-એ-હિંદના જિલ્લા પ્રમુખ મુફ્તી ખુર્શીદ અનવરે તાજેતરમાં સોશિયલ મીડિયા અને મસ્જિદો દ્વારા જાહેરાત કરી હતી કે પંજાબમાં પૂરથી પ્રભાવિત લોકોને દરેક શક્ય મદદ પૂરી પાડવામાં આવે. આ પછી, દરેક ગામમાંથી રાહત સામગ્રી એકઠી કરવામાં આવી. સોમવારે, સામગ્રીથી ભરેલી એક ટ્રક પંજાબ મોકલવામાં આવી. મુફ્તી ખુર્શીદે કહ્યું કે મુશ્કેલ સમયમાં માનવતા માટે કામ કરવું એ આપણી માનવીય અને ધાર્મિક ફરજ છે.

પાણીમાંથી મળેલા ઘરેણા પરત કર્યા

વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પંજાબમાં લોકોની મદદ કરવા ગયેલા મુસ્લિમ ભાઈઓને પાણીમાંથી ઘરેણા મળ્યા હતા. ત્યારે તેઓએ આ ઘરેણાં લોકોને પરત આપીને માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

આ પણ વાંચો:  

Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?

Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!

Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત