
Rahul Gandhi: આજે લોકસભામાં દેશમાં સર્જાયેલી LPG ગેસ સિલિન્ડરની અછતનો મુદ્દો ઉછાળી વિપક્ષના સાંસદોએ ભારે હંગામો મચાવ્યો હતો, સત્ર શરૂ થાય તે અગાઉ જ વિપક્ષી સાંસદો પોતાના હાથમાં પોસ્ટરો અને સિલિન્ડરના પ્રતીકો હાથમાં લઈ સંસદ પરિસરમાં એકત્ર થયા હતા, આજે ગુરુવારે સવારે 11 કલાકે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ સૂત્રોચ્ચાર ચાલુ કરતા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી પણ વિપક્ષનો હંગામો ચાલુ રહેતા આખરે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
ત્યારબાદ બપોરે કાર્યવાહી ફરી શરૂ થતાં ઓમ બિરલાએ લગભગ અડધા કલાક સુધી ગૃહને સંબોધન કર્યું હતું ત્યારબાદ વિપક્ષના હોબાળાને લઈ ફરી કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી દેશભરમાં ઉભી થયેલી LPG ગેસ સિલિન્ડરની અછતને લઈ આજે સંસદ પરિસરમાં વિપક્ષી દળો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દેશમાં વિવિધ રાજ્યોમાં LPG સિલિન્ડરની અછત અને વધતા ભાવોની સ્થિતિ અંગે વિપક્ષે સરકાર પર જનતાના રસોડા પર સીધો હુમલો થયાનો આરોપ લગાવ્યો હતો, LPG સિલિન્ડરના ભાવમાં વધારા સામે સંસદની બહાર વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી પણ જોડાયા હતા અને આ દરમિયાન વિપક્ષ નેતાઓએ સંસદની બહાર “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ” ના નારા લગાવ્યા” હતા.
વિપક્ષના નેતાઓએ સરકારને જણાવ્યું કે રાંધણ ગેસના પુરવઠામાં વિક્ષેપથી દેશના લાખો પરિવારો મુશ્કેલીમાં છે અને સરકાર સબ સલામતના દાવા કરી રહી છે પણ વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે, આ તકે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન કહે છે કે ગભરાવાની કોઈ જરૂર નથી પણ તેઓ પોતે ગભરાયેલા છે, કારણ કદાચ એક્સ્ટેઈન-અદાણી કેસને લઈને હોય શકે છે અને તેથીજ ગભરાઈ ગયા છે.
રાહુલે કહ્યું કે ‘ગૃહમાં પણ વડાપ્રધાનની ખુરશી ખાલી હતી. તેઓ દેશને ગભરાવાની જરૂર નથી એમ કહી રહ્યા છે,પણ પોતેજ ગભરાયેલા દેખાઈ રહયા છે” આમ,ઈરાન યુદ્ધ હવે ભારતમાં અસર કરી રહ્યું છે અને તેની જનતાને અસર કરી રહ્યું છે અને રાજકીય આગ પણ વકરી રહી છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









