
Rahul Gandhi: કોંગ્રેસના નેતા શશિ થરૂરે AI ઇમ્પેક્ટ સમિટની ખૂબજ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સમિટના શરૂઆતના થોડા દિવસો ખૂબ જ સારા રહ્યા હતા. જોકે, પછીથી કેટલીક ખામીઓ જોવા મળી પણ તે સામાન્ય છે કારણકે કોઈપણ મોટા કાર્યક્રમમાં એવી ભૂલો થઈ શકે છે.તેમણે કહ્યું કે ખાસ વાત એ હતી કે ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને અન્ય મહત્વપૂર્ણ નેતાઓની હાજરી હતી. આ લોકો AI ના વિકાસમાં એક નવી, સંકલિત દુનિયા જોવાની તીવ્ર ઇચ્છા સાથે આવ્યા હતા.
■ રાહુલ ગાંધીએ તેને “અવ્યવસ્થિત પીઆર શો” ગણાવ્યો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ચાલી રહેલા એઆઈ સમિટને “અવ્યવસ્થિત પીઆર શો” ગણાવ્યાના એક દિવસ પછી થરૂરની આ ટિપ્પણી સામે આવી છે.કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ પક્ષના નેતાઓએ પણ આ કાર્યક્રમની ટીકા કરી હતી પણ થરૂર સમીટની પ્રશંસા કરી રહયા છે.
■ થરૂરે એમ પણ કહ્યું…
● ઘણા નેતાઓ AI વિકાસમાં એક નવા સંકલિત વિશ્વની કલ્પના કરવાનો મજબૂત સંદેશ લઈને આગળ આવ્યા છે, જેની સમાજ પર અસર મુખ્ય રહેશે. આ ક્ષેત્રમાં ભારતે સ્પષ્ટપણે આ અભિયાનનું નેતૃત્વ કર્યું છે.
● ફ્રેન્ચ રાફેલની વાત કરીએ તો, તેના કેટલાક ઘટકો ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. આ સોદાનો એક મહત્વપૂર્ણ પાસું છે કારણ કે તે દેશના સંરક્ષણને મજબૂત બનાવવાનો એક ભાગ છે.
● ભારત માટે સંરક્ષણ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે યુદ્ધ કરવા માંગતા નથી પરંતુ એટલા નબળા પણ નથી તે પણ મેસેજ જવો જોઈએ.
● આ ખરેખર એક ડિફેન્સીવ ડિફેન્સ છે, અને તે જ દિશામાં સરકાર કામ કરી રહી છે અને હું આ માટે સરકારને સમર્થન આપું છું.
● આગામી ફિલ્મ કેરળ સ્ટોરી 2 પર થરૂરે કહ્યું કે પહેલી આવેલી ફિલ્મ કેરળ સ્ટોરી એક નફરત ફેલાવતી ફિલ્મ હતી જેમાં કહેવામાં આવ્યું કે હજારો લોકોનું ધર્માંતરણ થયું જે સાચું નથી.
● મને લાગે છે કે વર્ષોથી આવા લગભગ 30 કિસ્સા બન્યા છે. આપણો દેશ ખૂબ મોટો છે. અહીં કોઈ ઘટના બને છે અને ત્યાં બને છે તેનો અર્થ એ નથી કે તમારે તેને મોટુ રૂપ આપી દેવું જોઈએ.









