Rajkot:’હું હનુમાનજીનો જમાઈ છું’ અનિરુદ્ધસિંહને સમર્થન આપવા ગયેલા પી.ટી.જાડેજા કેમ આવું બોલ્યા?

  • Gujarat
  • September 5, 2025
  • 0 Comments

Rajkot: ગોંડલના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફીની માગણીને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવામા આવી હતી. આ ક્રાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. ત્યારે સંમેલનમાં ક્ષત્રિય આગેવાન પી. ટી જાડેજાએ એવું નિવેદન આપ્યું હતું કે, જેના કારણે તેઓ ચર્ચાનું કારણ બન્યા છે.

રિબડામાં અનિરુદ્ધસિંહને સમર્થન આપવા ગયેલા પી.ટી.જાડેજાનું નિવેદન

રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં પી.ટી.જાડેજાએ સરકારને વિનંતી કરતા કહ્યું કે, અમારા ભાઈ અનિરુદ્ધસિંહે 21 વર્ષ સજા ભોગવી છે. તે પેરોલની બાદબાકી કરવામાં આવે તો સાડા 18 વર્ષ સજા થાય, અમારો ભાઈ 2014 માં છુટવો જોઈએ તો 2018 માં છુટ્યો તો તમને વાંધો શું છે ? જેને વાંધો હોય તે અહીં આવોને, 18-18 વર્ષ સજા ભોગવી છતાં આઝાદી નહીં.

વધુમાં તેમણે કહ્યું કે, હું હનુમાનજીનો જમાઈ છું. હુ તો સાચુ જ બોલુંને, નહીતર હનુમાન દાદા પ્રસન્ન ન થાય મને પાસામાં મુકવા હનુમાન દાદા આવ્યા હતા. અને શંકર ભગવાન લેવા આવ્યા હતા. પાસામાં હુ સમાજ માટે ગયો હતો અને સમાજે જ મને પાસમાંથી બહાર લાવ્યા.

અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર

અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા હાલ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર છે. આ કેસમાં બે દિવસ પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં તેમની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ પહેલાં ગોંડલ સેશન કોર્ટમાંથી જામીન ન મળતાં બંનેએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

ચાર મહિનાથી શોધી રહી છે પોલીસ

પોલીસના જણાવ્યા મુજબ, અમિત ખૂંટની આત્મહત્યાની ઘટનામાં મળેલી સુસાઇડ નોટના આધારે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને તેમના ડ્રાઇવર રહીમ મકરાણીને આરોપી તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ છેલ્લા ચાર મહિનાથી તેમની શોધમાં સક્રિય છે, જેમાં FSLની મદદ પણ લેવામાં આવી છે.

પીટી જાડેજા અવાર નવાર રહે છે વિવાદમાં

ઉલ્લેખનીય છે કે, પીડી જાડેજા તેમના નિવેદનનોને કારણે ક્યારેક ચર્ચામાં તો ક્યારેક વિવાદમાં રહેતા હોય છે. તાજેતરમાં તેઓ પાસામાં જઈને આવ્યા છે. ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જેઓ હત્યાના આરોપી છે અને હાલમાં તેઓ પોલીસથી નાસતા ફરે છે તેમને પીડી જાડેજા સમર્થન આપી સજાની માફીની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: 

Punjab Flood: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 43 લોકોના મોત

ADR report: દેશમાં અડધા મંત્રીઓ સામે ફોજદારી કેસ, જાણો ક્યા પક્ષમાં સૌથી વધુ ગુનેગારો

Rajkot: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, હત્યાના કેસમાં સજા માફીની માંગ

The Bengal Files release:’આ માત્ર ફિલ્મ નહીં અરીસો છે’, “ધ બેંગાલ ફાઇલ્સ” ને લઈને લોકોએ કેમ આવું કહ્યું ?

Vadodara: MS યુનિવર્સિટીના પૂર્વ VC ની ડિગ્રી નકલી નીકળી, ચોંકાવનારો ખુલાસો

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 4 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત