
priest Bajinder Singh Rape case: પંજાબના મોહાલીના ઝીરકપુરની એક મહિલા પર બળાત્કારના કેસમાં આરોપી પાદરી બજિન્દર સિંહને મોહાલીની એક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ પાદરીને પટિયાલા જેલમાં પૂરી દેવામાં આવ્યો છે.
ખ્રિસ્તી ધર્મના જાણિતા પાદરી બજિન્દર સિંહને આજે બળાત્કારના કેસમાં સજા ફટકારવામાં આવી છે. મોહાલીની જિલ્લા કોર્ટે બજિંદરને આજીવન કેદની સજા ફટકારી છે. તેને 3 દિવસ પહેલા મોહાલી કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. જે બાદ તેને પટિયાલા જેલમાં મોકલી ધકેલી દેવામાં આવ્યો છે.
2018માં નોંધાઈ હતી ફરિયાદ
આ કેસ 2018 માં ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે બજિન્દર સિંહે તેને વિદેશ લઈ જવાનું વચન આપીને લલચાવી હતી અને મોહાલીના સેક્ટર 63 સ્થિત તેના નિવાસસ્થાને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તેણીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ ધમકી આપી હતી કે જો તે તેની માંગણીઓ સ્વીકારશે નહીં તો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેશે.
આરોપી વિરુધ્ધ બીજો બળાત્કારનો કેસ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક અન્ય બળાત્કારનો કેસ 28 ફેબ્રુઆરીએ આ પાદરી વિરુધ્ધ નોંધવામાં આવ્યો હતો. કપૂરથલા પોલીસે 22 વર્ષીય મહિલાએ તેમના પર લગાવવામાં આવેલા ઉત્પીડનના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી છે. બજિન્દર સિંહે તેમના પરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
આ પણ વાંચોઃ દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas
આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?
આ પણ વાંચોઃ jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ