
RSS:દેશમાં છેલ્લા કેટલાક સમયથી અરાજકતાનો માહોલ છે અને એકાએક હિંદુત્વનો માહોલ ક્રિએટ કરવા જાણે અભિયાન શરૂ થયાનું જણાઈ રહ્યું છે તેમજ OBC સમુદાયનો ઉપયોગ સાંપ્રદાયિક તણાવ ફેલાવવા થઈ રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે આ મામલે જાણીતા વરિષ્ઠ પત્રકાર શીતલ પી સિંહે પોતાના વિચારો રજૂ કર્યા છે આ મુદ્દા ઉપર તેઓએ વિસ્તૃત છણાવટ કરી હતી.
બીજી તરફ વિશ્વ સ્તરે પણ ભારતમાં સર્વધર્મ સમભાવની જે છબી હતી તે હવે રહી નથી અને જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા ત્યારથી હિંદુત્વ મુદ્દે એક જે પ્રકારે વાતાવરણ ઉભું થઈ રહ્યું છે તેમાંય ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેની સંલગ્ન સંસ્થાઓ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ સહિત સરકારી વિભાગો, પોલીસ સહિતના વિભાગો સુધી ફેલાયેલી છે, જે રાજકીય કારકિર્દી ઘડવામાં અને યુવાનોને હિન્દુ-રાષ્ટ્રવાદી વિચારધારામાં પ્રેરિત કરવામાં ભૂમિકા ભજવી રહી હોવા અંગેના આંતરરાષ્ટ્રીય મીડિયામાં એટલેકે ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ ઉપર RSSના અને મોદીના ફોટા સાથેના અહેવાલો અને વિશ્લેષણ પ્રકાશિત થયા છે.
ટૂંકમાં, આ અહેવાલો ભારતના દરેક ક્ષેત્રમાં હિન્દુ-રાષ્ટ્રવાદી વિચારધારાના ફેલાવા અને તેના રાજકીય અને સામાજિક પ્રભાવનું ગંભીર વિશ્લેષણ છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા કવરેજ કરાયું છે આ સમાચારો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ઉજાગર કરે છે ત્યારે આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર જાની અને સિનિયર પત્રકાર શીતલ પી સિંઘ દ્વારા થયેલી વિસ્તુત ચર્ચા અને વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે.
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









