
Education Department: સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પારો 44.8 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે માસૂમ વિદ્યાર્થીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સૂચનાઓ પ્રમાણે, હવે શાળાઓએ વિદ્યાર્થીઓને બપોરે 12 વાગ્યા સુધીમાં શાળામાંથી છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. હીટસ્ટ્રોક અને ગરમીથી બાળકોને બચાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકાનું પાલન કરવા શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને ગરમીના સમયે કોઈપણ સંજોગોમાં ખુલ્લા મેદાનમાં બેસાડવા નહીં અને કોઈ પણ પ્રકારની આઉટડોર રમતો કે અન્ય પ્રવૃત્તિઓનું આયોજન નહીં કરવા સહિત શાળાઓમાં પીવાના શુદ્ધ ઠંડા પાણીની વ્યવસ્થા જાળવી રાખવા અને ખાસ કરીને પ્રાયમરી સેક્શનના નાના બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે.
■ શિક્ષણ વિભાગનો આ આદેશ તમામ બોર્ડની શાળાને લાગુ પડશે
શિક્ષણ વિભાગનો આ નિયમ તમામ બોર્ડને લાગુ પડશે મહત્વનું છે કે હાલ CBSE, ICSE અને રાજ્ય બોર્ડની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર અથવા પરીક્ષાઓની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ નિયમ તમામ ખાનગી અને સરકારી શાળાઓને સમાન રીતે લાગુ પડશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં આકરી અસહ્ય ગરમી માટે શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વાલીઓમાં રાહતની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો







