Sheikh Hasina:શેખ હસીનાના પ્રત્યાર્પણ માટેની બાંગ્લાદેશની માંગ સામે ભારતે આપ્યો આ જવાબ

  • India
  • November 17, 2025
  • 0 Comments

Sheikh Hasina:બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને માનવતા સામે અપરાધ બદલ દોષિત ઠેરવતા મોતની સજા સંભળાવ્યા બાદ હવે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શેખ હસીનાના પ્રત્યર્પણની માગ કરી છે અને જણાવ્યું છેકે “આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયના ચુકાદામાં શેખ હસીના અને અસદુઝ્ઝમાં ખાન કમાલ દોષી સાબિત થયા હોય બંને દેશો વચ્ચેની પ્રત્યર્પણ સંધિ અનુસાર શેખ હસીનાને બાંગ્લાદેશના અધિકારીઓને સોંપી દે વા જોઈએ.

દરમિયાન, બાંગ્લાદેશની શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ બાદ ભારતના વિદેશ મંત્રાલયે શેખ હસીના અંગે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું, એક નજીકના પાડોશી તરીકે,અમે બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે પ્રતિબદ્ધ છીએ,જેમાં શાંતિ, લોકશાહી, સમાવેશકતા અને રાજકીય સ્થિરતાનો સમાવેશ થાય છે.અમે બાંગ્લાદેશના તમામ હિસ્સેદારો સાથે રચનાત્મક રીતે વાતચીત કરીશું.

જોકે,ભારતના વિદેશ મંત્રાલયે જવાબતો આપ્યો છે પણ ભારતે પોતાના નિવેદનમાં શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે કોઈ ખુલાસો કર્યો નથી,મતલબ કે બાંગ્લાદેશની પ્રત્યાર્પણ માંગના જવાબમાં શેખ હસીનાને સોંપી દેવામાં આવશે તેવો કોઈ ઉલ્લેખ કર્યો નથી.શેખ હસીના સામે ગત વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં થયેલા વિદ્રોહ દરમિયાન માનવતા વિરુદ્ધ અપરાધના આરોપો નક્કી કરવામાં આવ્યા હતા અને
ભારતમાં શરણ લઈ રહેલાં શેખ હસીનાની ગેરહાજરીમાં તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો.

બીજી તરફ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ઢાકા કોર્ટના નિર્ણયની સખત ટીકા કરી છે અને તેને ‘પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યો છે.ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં થયેલા બળવા બાદથી બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ઓગસ્ટ 2024 થી ભારતમાં છે.

જોકે,શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ (ICT) દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે અપીલ કરવાનો વિકલ્પ છે, પરંતુ શરતો અત્યંત કડક છે. ICT કાયદાની કલમ 21 હેઠળ, મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારને ચુકાદાની તારીખથી 30 દિવસની અંદર ધરપકડ વહોરવી પડે અથવા કોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે. તે પછી જ આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલના નિર્ણય સામે બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગમાં અપીલ દાખલ કરી શકાય છે.

શેખ હસીનાના કિસ્સામાં, આ સમયમર્યાદા 17 ડિસેમ્બર, 2025 છે. જો તે આ તારીખ સુધીમાં બાંગ્લાદેશી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે અથવા ધરપકડ માટે હાજર નહીં થાય, તો અપીલ કરવાનો તેમનો કાનૂની અધિકાર આપમેળે સમાપ્ત થઈ જશે, અને મૃત્યુદંડ અંતિમ બનશે.બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટે 60 દિવસની અંદર અપીલ પર પોતાનો ચુકાદો આપવો જરૂરી છે, એટલે કે હસીનાના કિસ્સામાં, આ સમયમર્યાદા 15 ફેબ્રુઆરી, 2026 સુધી હોઈ શકે છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 3 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 9 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 11 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ