Srinagar: ફ્લાઈટમાં વધુ સામાન લઈને ઘૂસવા ન દેતાં સૈન્ય અધિકારીએ 4 કર્મીઓને ફટકાર્યા, હવે ઉડાન ભરવાનું સ્વપ્ન ચકનાચૂર થશે,જાણો કારણ

  • India
  • August 3, 2025
  • 0 Comments

Srinagar: શ્રીનગર એરપોર્ટ પર એક સૈન્ય અધિકારીએ સ્પાઇસજેટના ચાર કર્મચારીઓને ખરાબ રીતે માર મારતા હોબાળો મચી ગયો હતો. એરપોર્ટ પર હાજર લોકોએ આ લડાઈનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. એક સૈન્ય અધિકારી ફ્લાઇટમાં જવાનો હતો. આ માટે તે એરપોર્ટ પર પહોચ્યો.

સુરક્ષા તપાસ પછી સામાન લઈ જતી વખતે સ્પાઇસજેટના કર્મચારીઓએ તેની પાસે વધારાના સામાન માટે વધારાના પૈસા માંગ્યા. જેથી સૈન્ય અધિકારી અને કર્મચારીઓ વચ્ચે ઝઘડો થાય છે. જોત જોતામાં આ ઝઘડો લડાઈમાં ફેરવાઈ જાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સૈન્ય અધિકારી પહેલા કર્મચારીને મુક્કો મારે છે અને પછી તેના હાથમાં એક બોર્ડ આવે છે જેનાથી તે કર્મચારીઓ પર હુમલો કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં ચારેય કર્મચારીઓ ખરાબ રીતે ઘાયલ થયા છે.

એરલાઈને શું કહ્યું?

સ્પાઇસજેટ એરલાઈને જણાવ્યું હતું કે જ્યારે મુસાફરને વધારાના સામાન માટે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે હુમલો થયો હતો. સ્પાઈસજેટે જણાવ્યું હતું કે એક સૈન્ય અધિકારી કુલ 16 કિલો વજનની બે કેબિન બેગ લઈને ગયો હતો, જે સાત કિલોની માન્ય મર્યાદા કરતાં બમણાથી વધુ હતી. જ્યારે સૈન્ય અધિકારીને નમ્રતાપૂર્વક વધારાના સામાન વિશે જાણ કરવામાં આવી અને લાગુ ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં પ્રવેશ કર્યો, જે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. નિવેદનમાં જણાવાયું છે કે CISF અધિકારી દ્વારા તેને ગેટ પર પાછો લઈ જવામાં આવ્યો હતો.

‘નો-ફ્લાય’ યાદીમાં મૂકવું

એરલાઇને જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસમાં FIR નોંધાવવામાં આવી છે અને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર મુસાફરને ‘નો-ફ્લાય’ યાદીમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Bomb Threat: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આ રીતે આરોપીને પકડ્યો!

UP: ગોંડામાં મોટો અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં પડતાં 11ના જીવ ગયા

RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં

Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?

Ahmedabad: બાપુનગરમાં 7 વર્ષની બાળકીના રેપ-હત્યા કેસમાં 16 વર્ષ બાદ 2 શંકાસ્પદ શખ્સોની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Chhota Udepur: રાયસીંગપુરા શાળાના શિક્ષક દંપતિની બદલી થતાં ગ્રામજનોએ કંઈક આ રીતે કર્યું સન્માન, જુઓ

 

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 6 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 6 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”