ભાજપે 100 ની સ્પીડે ચાલતાં ગુજરાતને 35 સ્પીડે લાવી દીધુ: Arvind Kejriwal

Arvind Kejriwal Spoke on BJP government:આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 30 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ગુજરાતની પ્રગતિની ગતિને 100 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટાડીને 35 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી છે. સુરતમાં ભારે વરસાદે શહેરને પૂરની ઝપટમાં લીધું, જેના કારણે કરોડો રૂપિયાના ઘરોમાં પાણી ઘૂસી ગયું. કેજરીવાલે આ પૂરને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું અને રાજ્યના રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમ અને વીજળીની વ્યવસ્થાની નબળાઈઓ પર સવાલો ઉભા કર્યા.

કેજરીવાલે જણાવ્યું કે, “દસ વર્ષ પહેલાં સુરતમાં આવા પૂર આવતા ન હતા. પરંતુ હવે સુરત, વડોદરા અને જૂનાગઢ જેવા શહેરોમાં દર વર્ષે પૂર આવે છે. આ પૂર ભ્રષ્ટાચારની ઉપજ છે.” તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે બિલ્ડરોને એવા પ્લોટ આપ્યા, જે પાણીના નિકાલ માટેના માર્ગો હતા, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યું છે. 24 જૂન 2025ના રોજ સુરતમાં 400 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે પરવત પાટિયા, સરથાણા, ગોદાદરા, ભટાર, લિંબાયત અને સાનિયા હેમદ જેવા વિસ્તારોમાં ભયંકર જળબંબાકાર થયો. વૃંદાવન, નંદનવન અને માધવબાગ જેવી હાઈ-એન્ડ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયું, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું.

સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલાઓમાં પાણી ઘૂસતુ નથી

કેજરીવાલે વધુમાં કટાક્ષ કર્યો, “સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલાઓ છે, પરંતુ તેમના ઘરોમાં પૂરનું પાણી નથી ઘૂસતું. પાણી તો સામાન્ય નાગરિકોના ઘરોમાં ઘૂસે છે.” આ નિવેદનથી રાજકીય બબાલ ઊભી થઈ છે, અને સ્થાનિક રહેવાસીઓએ પણ સરકારની નબળી આયોજન વ્યવસ્થા પર રોષ વ્યક્ત કર્યો છે.

કેજરીવાલે ગુજરાતના રસ્તાઓની ખરાબ સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યું, મને “રાજકોટથી જૂનાગઢ, 125 કિલોમીટરનું અંતર કાપવામાં સાડા ત્રણ કલાક લાગ્યા, કારણ કે ગાડી માત્ર 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકી. 1995 પહેલાં ગુજરાતના રસ્તાઓ પર ગાડીઓ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી, પરંતુ ભાજપે 30 વર્ષમાં રસ્તાઓનું નિર્માણ કરવામાં નિષ્ફળતા દર્શાવી છે.” કેજરિવાલે કહ્યું કે 100 ની સ્પીડે દોડતા ગુજરાતને ભાજપે 35ની સ્પીડે લાવી દીધું છે.

ભાજપ સરકાર 30 વર્ષમાં વીજળી પૂરી પાડી શકી નથી

કેજરીવાલે જૂનાગઢની વીજળીની સમસ્યા પર પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું, “જૂનાગઢમાં દરરોજ પાંચ વખત વીજળી જાય છે. હું ચાર ગામોમાં સભા કરવા ગયો, ત્યાં વીજળી નહોતી. ભાજપ સરકાર 30 વર્ષમાં વીજળી પૂરી પાડી શકી નથી, તો આ લોકોનો શું વિકાસ કરશે?” આ નિવેદનથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની અછતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલના નિવેદનોએ ગુજરાતના વિકાસના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને ઉજાગર કર્યું છે. સુરતના પૂર, રસ્તાઓની ખરાબ હાલત અને વીજળીની અછતે ભાજપના ‘ગુજરાત મોડેલ’ પર સવાલો ઉભા કર્યા છે. સરકારે રાહત કાર્યો શરૂ કર્યા હોવા છતાં, લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને ભ્રષ્ટાચાર નિવારણની જરૂરિયાત સ્પષ્ટ છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે રાજ્ય સરકારે નક્કર પગલાં લેવા પડશે.

આ પણ વાંચો:
 
 

 

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી