
Surat: ગઈકાલે પતિના અંતમ સંસ્કારની તૈયારીઓ વખતે સીઆર પાટીલને બરોબર ભાંડનાર શીતલબેન આજે ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકાર સામે શાંત થઈ ગયા છે. આ એક ભૂપેન્દ્ર પટેલ સરકારનો ચમત્કાર સમાન છે. જો કે સવાલ એ થઈ રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલે એવા તો કેવા ચમત્કાર કર્યા કે ગઈકાલે ગર્જતાં શીતલબેન આજે શાંત થઈ ગયા છે?
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા(22 એપ્રિલ) બાદ સ્થિતિ તંગ છે. આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જો કે કેટલાંક અહેવાલો અનુસાર 30 લોકોના મોત થયા છે. આતંકી હુમલા બાદ ભારતના લોકોમાં રોષ છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો.
જેમાં ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થાય છે. જ્યારે સુરતમાં શૈલેષ કળથિયાએ હુમલામાં જીવ ગુમાવ્યો હતો. શૈલેષ તેની પત્ની શીતલબેને સાથે પહેલગામ ફરવા ગયો હતો. જ્યાં આતંકીના હુમલાનો ભોગ બન્યો હતો. ત્યારે ગઈકાલે તેમના મૃતદેહ વતન લવાયા હતા. બંને પરિવારોમાં ભારે આક્રંદ હતો. ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.
જ્યારે મૃતક શૈલેષ કળથિયાને ત્યા સીઆર પાટીલ પહોંચ્યા હતા. જ્યા કળથિયાની પત્નીએ પાટીલને આક્રોશ ઠાલવતાં બરોબર ખખડાવી ઉધડો લીધો હતો. સીઆર પાટીલ કંઈ પણ જવાબ પણ આપી શક્યા ન હતા. જેનો વીડિયો વાયુ વેગે વાઈરલ થઈ ગયો હતો.
મૃતક શૈલેષની પત્નીએ પાટીલને ઉધડો લીધો હતો
કાલે ટીકા આજે વખાણ ! શીતલબેન ફરી ગયા#Surat #jammu #pahalgam #CRPatil #BJP #viralvideo #PakistanBehindPahalgam #thegujaratreport pic.twitter.com/4kbDTaW9fS
— The Gujarat Report (@TGujarat_Report) April 25, 2025
મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, સરકાર સુરક્ષા પુરી પાડી શકી નથી. આજ પછી મત જ ન આપતા. વધુમાં કહ્યું જ્યાં ટુરિસ્ટ જગ્યા હતી ત્યા કોઈ પોલીસ કે અર્મીમેન ન હતુ. ફર્સ્ટ એડ કિટ સહિતની કોઈ સુવિધા ન હતી. એક આર્મીમને કહ્યું હતુ કે તમે ઉપર ફરવા શું કરવા જાવ છો?. જો જવાય એવું ન હતુ તો અમને જવા કેમ દીધા? પત્નીએ વધુમાં કહ્યું હતુ કે તમારી પાછળ કેટલાં વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે? તમારો જીવ, જીવ છે, ટેક્સ પે કરે છે તેમના જીવ નથી. આ કેવી સરકાર છે?
જો કે શીતલબેને આજે યુટર્ન માર્યો છે. સરકારના વખાણ કર્યા છે. પુલાવામાં જેમ બધાને ન્યાય અપાવ્યો તેમ મને પણ ન્યાય આપવાશે તેવો સરકાર પર ભરોસો છે. મોદી સરકાર પર ભરોસો છે. તેમણે કહ્યું આપણી ગુજરાત સરકાર… સીઆર પટેલ સર… હર્ષ સંઘવી સર…એ મને સુરત પહોંચાડી. જો કે મૃતકની પત્નીએ એક દિવસમાં જ યુટર્ન મારી દેતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. કારણ કે એક દિવસ પહેલા જ પતિના મોત પર આક્રોશ ઠાલવતી શીતલબેન આજે સરકારના અચાનજક જ વખાણ કરવા લાગ્યા છે.
આ પણ વાંચોઃ
Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!
Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?
Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો
Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન
Vadodara: બોલેરો અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પોલીસકર્મી સહિત 3ના મોત