Surat: ‘બેવાર પાપ કર્યું તને નડશે’, 19 વર્ષિય શિક્ષિકાના આપઘાતનો મોટો ખૂલાસો, કિશોર ગર્ભવતી બનાવી હેરાન કરતો

Surat Teachr Sucide Case: સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડીયાના આપઘાત કેસમાં નવા ખૂલાસાએ ખળભળાટ મચાવ્યો છે. આ કેસમાં આરોપી સગીરની જામીન અરજી દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના 3,000 પાનાંના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, પીડિતા ગર્ભવતી હતી અને આરોપી સગીર સાથેની ચેટમાં શારીરિક સંબંધો અને ગર્ભપાતની વાતો સામેલ છે. આ ખુલાસાએ આ કેસને વધુ જટિલ બનાવ્યો છે. સગીરની જામીન અરજી પણ નામંજૂર થઈ છે.

13 જુલાઈએ કર્યો હતો આપઘાત

કતારગામના નાની વેડ વિસ્તારમાં રહેતી નેનુ વાવડીયાએ 13 જુલાઈ, 2025ની સાંજે પોતાના ઘરમાં પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ નેનુના પિતાએ એક સગીર યુવક અને તેના પિતા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સગીર યુવક નેનુને છેલ્લા છ મહિનાથી હેરાન કરી રહ્યો હતો, શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો અને 30 હજાર રૂપિયાની ખંડણી પણ માગી રહ્યો હતો. આ હેરાનગતિને કારણે નેનુ ડિપ્રેશનમાં હતી. અંતે જીવન ટૂંકાવી લીધુ.

પિતા-પુત્રની ધરપકડ, જામીન નામંજૂર

ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, સગીરની અટકાયત અને તેના પિતાની ધરપકડ કરી. સગીરને જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવ્યો, જ્યારે તેના પિતાને જેલમાં ધકેલવામાં આવ્યા. બંનેએ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ તે નામંજૂર થઈ હતી. ત્યારબાદ સગીરે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી, જેની સુનાવણી દરમિયાન FSL રિપોર્ટનો ખુલાસો થયો.

મોબાઈલમાંથી ચોકાવનારા પુરાવા

પોલીસે નેનુનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલ્યો હતો. એક મહિના બાદ મળેલા 3,000 પાનાંના રિપોર્ટમાં નેનુ અને સગીર વચ્ચેની Gmail ચેટની વિગતો સામે આવી. આ ચેટમાં શારીરિક સંબંધો, ગર્ભપાત અને નશીલા પદાર્થો આપવાની વાતોનો ઉલ્લેખ છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે, નેનુ ગર્ભવતી હતી. આ ખુલાસાએ કેસની ગંભીરતા વધારી દીધી છે.

સગીર શિક્ષાનો બેવાર ગર્ભપાત કરાવ્યો

રિપોર્ટમાં સામેલ એક મેલમાં જે 14 નવેમ્બર 2020ની સાંજે 6 વાગ્યે નેનુએ સગીરને મોકલ્યો હતો, તેમાં લખ્યું હતું, “એક વાત તો ભૂલી જ ગઈ કે જે બે વાર પાપ કર્યું છે ને એ બંનેને નડશે, હું તો જઈશ, પણ તમને એ પણ નડશે.” અન્ય એક મેલમાં નેનુએ ઉલ્લેખ કર્યો, “પછી યાદ છે ઓલા દિવસ ફાર્મમાં ગયા ને બહુ મોટો ઝઘડો થઈ ગયો. તમને થોડોક મારા પર ગુસ્સો આવી ગયો અને તમે મારું ગળું દબાવી દીધું હતું.” આ ઉપરાંત, એક મેલમાં નેનુએ લખ્યું, “ખબર છે તમે પરાણે સુટ્ટો મરાવતા હતા.”FSL રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું કે, સગીરે નેનુને નશીલા પદાર્થો આપ્યા હતા અને બે વખત ગર્ભપાત કરાવવાની વાત પણ ચેટમાં ઉલ્લેખાઈ છે. આ વિગતોના આધારે નેનુના પિતાના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, સગીર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવાની કલમો ઉમેરવામાં આવે. વકીલે એમ પણ જણાવ્યું કે, જો સગીરને જામીન આપવામાં આવે તો તે પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે.

નેનુના પિતાના આક્ષેપો

નેનુના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરી છેલ્લા છ મહિનાથી સગીર દ્વારા હેરાન થઈ રહી હતી. તેમણે આ બાબતે સગીરના પિતાને પણ જાણ કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા ન હતા. છેલ્લા બે દિવસથી નેનુ ખૂબ જ ડિપ્રેશનમાં હતી, જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.

કોર્ટની કાર્યવાહી

ગુરુવારે સેશન્સ કોર્ટમાં સગીરની જામીન અરજીની સુનાવણી દરમિયાન નેનુના પિતાના વકીલે FSL રિપોર્ટની વિગતો રજૂ કરી. તેમણે દલીલ કરી કે, આ રિપોર્ટના આધારે સગીર સામે વધુ ગંભીર કલમો ઉમેરવી જોઈએ અને પોલીસે આ દિશામાં તપાસ કરવી જોઈએ. કોર્ટે સગીરની જામીન અરજી નામંજૂર કરી, અને આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બર, 2025ના રોજ નિયત કરવામાં આવી છે.

પોલીસની તપાસ

સિંગણપોર પોલીસે FSL રિપોર્ટનું એનાલિસિસ કર્યું છે અને તેના આધારે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટમાં સામે આવેલી વિગતો, જેમાં શારીરિક સંબંધો, ગર્ભપાત અને નશીલા પદાર્થોનો ઉપયોગ જેવી ગંભીર બાબતોનો ઉલ્લેખ છે, તેના આધારે પોલીસ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર

Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!

Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ

UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…

PM Modi: સ્વીસ બેંકમાંથી કાળું ધન પાછુ લાવીશ, 2025માં કહ્યું મને કોઈ લેવા દેવા નથી, મોદી કેમ ફરી ગયા?

મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal

Rahul Gandhi: ‘હું રોજ કહુ છું મોદી વોટચોર છે, તો ચૂપ કેમ?, કારણ તે જાણે છે હવે પકડાઈ ગયા’

મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal

 

Related Posts

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!
  • May 13, 2026

Rajkot Volvo Car Accident: રાજકોટના સૌથી ધમધમતા વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ફરી એકવાર ધનાઢ્ય નબીરાની બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. એક કાળા કલરની લક્ઝરીયસ વોલ્વો…

Continue reading
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના
  • May 13, 2026

Russia India Oil: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉર્જા ખરીદીના મુદ્દે ભારત પર દબાણ લાવવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોની આકરી ટીકા કરી છે. મોસ્કોમાં RT ઈન્ડિયાને આપેલા એક વિશેષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 4 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 7 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 10 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 11 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

  • May 13, 2026
  • 6 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના