Surat: નવરાત્રીમાં મિત્ર પાસેથી સગીરાને ઢસડી જઈ દુષ્કર્મ ગુજારનાર બે શખ્સોને આજીવન કેદ

  • Gujarat
  • February 17, 2025
  • 1 Comments

Surat Crime: સુરતના માંગરોળમાં ખળભળાટ મચાવનાર સામૂહિક બળાત્કારની ઘટનાામાં બે શખ્સો દોષિત ઠર્યા છે. ગત નવરાત્રીમાં કોસંબા પોલીસ હદમાં આવતાં વિસ્તારમાં સગીરાને મિત્ર પાસેથી આરોપીઓ ખેંચીને લઈ ગયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને પકડ્યા હતા. જેમાં એકનું બીમારીને કારણે મોત થયું હતુ. 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઇ હતી.

કોર્ટે દોષિતોને આપી સજા

ત્યારે આજે બે દોષિતોને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.  દોષિત મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા કરાઈ છે.  આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા સંભળાવી છે. જ્યારે પીડિતાને રુ. 10 લાખની સહાય કરવ  હુકમ કર્યો છે. પોક્સો અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ કોર્ટે સજા કરી છે.

ઉલ્લેખનીય છે છે કે  કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે.   ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા હતા. પિડિતાએ ઓરોપીઓેને ઓળખી બતાવ્યા હતા.

ગુનેગારોના નામ

1) મુન્ના કરબલી પાસવાન
2)રામ સજીવન (રાજુ) વિશ્વકર્મા
3) શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા( તપાસ દરમિયાન મોત)

શુ હતી ઘટના ?

સગીરો પર ગેંગરેપનો સમગ્ર ઘટનાક્રમ નવરાત્રિમાં બન્યો હતો. 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષિય સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન અજાણ્યા 3 શખ્સોએ પહોંચીને સગીરાના મિત્રને માર મારીને ભગાડી દીધો હતો. બાદમાં સગીરાને ઢસડી જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ ફાઈલ

સગીરા પર સામૂહિક બળાત્કારની આ ઘટનામાં પોલીસ દ્વારા માત્ર 15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઈ હતી. પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરી હતી. જેમણે તપાસ કર્યા બાદ 467 પાનાંની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી, સાથે જ 2500 પાનાંની સોફ્ટ કોપીનો પણ સમાવેશ કર્યો હતો. ચાર્જશીટમાં 60 સાક્ષીનાં નિવેદનો અને પુરાવાઓ હતા. જેમાં મેડિકલ રિપોર્ટ્સ, સાયન્ટિફિક રિપોર્ટ્સ, મોબાઈલ ડેટા અને સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓ સામેલ હતા.

 

આ પણ વાંચોઃ Bhavnagar માં જાનૈયા ભરેલી બસ ભડકે બળી, જાનૈયાઓ બસમાંથી કૂદ્યા

આ પણ વાંચોઃ Bhavnagar માં જાનૈયા ભરેલી બસ ભડકે બળી, જાનૈયાઓ બસમાંથી કૂદ્યા

આ પણ વાંચોઃ USથી ત્રીજા તબ્બકામાં ડિપોર્ટ થયેલા 33 ગુજરાતી આજે અમદાવાદ આવશે

આ પણ વાંચોઃ Leopard attack: ગીર ગઢડામાં રમતી બાળકી પર દિપડાએ હુમલો કરતાં મોત, પરિવાર આઘાતમાં

 

live ચર્ચા જુઓ

Related Posts

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
  • June 16, 2025

Gujarat Rain Update: રાજ્યમાં બે દિવસની વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં…

Continue reading
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading

One thought on “Surat: નવરાત્રીમાં મિત્ર પાસેથી સગીરાને ઢસડી જઈ દુષ્કર્મ ગુજારનાર બે શખ્સોને આજીવન કેદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  • June 16, 2025
  • 2 views
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 3 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 6 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 21 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?