Ahmedabad: રાજપુરના પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ શીલજમાં લઈ જવાતાં વિવાદ

  • Gujarat
  • February 17, 2025
  • 0 Comments

Ahmedabad News: અમદાવાદમાં પ્રાચીન જૈન મૂર્તિઓનું પ્રાચીન સ્થળેથી અન્ય જગ્યાએ સ્થાળાંતર કરાતાં વિવાદ સર્જાયો છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થાળાંતર કરાયું છે. જૈન મૂર્તિઓને શીલજમાં ખસેડવા મુદ્દે જૈન સમાજના સંતો ઉપવાસ પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. પ્રાચીન જૈન મૂર્તિઓને ગોમતીપુરથી શીલજ ખસેડવાના વિરોધમાં સંત નિલેશચંદ્ર અને તેમના સમર્થકો જોડાયા હતા. જૈન સમાજની માગ છે કે મૂર્તિઓને પરત લાવવામાં આવે.

અમદાવાદ હેરીટેજ સીટી તરીકેને ઓળખ ધરાવે છે. અહીં પ્રાચીન ભવ્ય ઈતિહાસ છૂપાયેલો છે. ત્યારે અમદાવાદના એક ઈતિહાસસમા ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ સ્થાળાંતરનો નિર્ણય લેવાતાં વિવાદ થયો છે.

આ દેરાસર સાથે અનેક જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આ દેરાસર 400 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. દર રવિવારે પણ અહીં 500થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોય છે. હવે આ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ લઇ જવાઈ છે. જિનાલયના ઉત્થાપનની કામગીરી ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં જિનાલયની પ્રતિમાના સ્થળાંતરણ અંગેના ફરતા વીડિયોમાં ભગવાન વિના હવે સૂનુ  લાગશે એવી પણ શ્રદ્ધાળુઓએ લાગણી વ્યકત કરી હતી.

જૈન સમાજે વિરોધ નોંધાવ્યો

આ મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. સમાજે રેલી યોજી મૂર્તિઓને પરત લાવવા માગ કરી છે.  શીલજમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે ત્યાં મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જૈન સમાજના લોકો દ્વારા ગમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ USથી ત્રીજા તબક્કામાં ડિપોર્ટ: બાકી રહેલા 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, સવારે 4 આવ્યા હતા

આ પણ વાંચોઃ Bhavnagar માં જાનૈયા ભરેલી બસ ભડકે બળી, જાનૈયાઓ બસમાંથી કૂદ્યા

આ પણ વાંચોઃ Mahakumbh 2025: કુંભ મેળાના સેક્ટર 8માં લાગી મોટી આગ, વારંવાર આગની ઘટનાઓ

આ પણ વાંચોઃ ભાજપ નેતા અમિત માલવિયાના દાવા પર કોંગ્રેસ નેતા પવન ખેરાએ શું કહ્યું?

 

 

 

Related Posts

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

  • August 9, 2026
  • 2 views
JPSC Protest ABVP: JPSC મુદ્દે રાંચીમાં ABVPનો વિરોધ, જંતર-મંતરથી ગેરહાજરી બાદ ઊભા થયા સવાલો

Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં

  • August 9, 2026
  • 4 views
Rahul Gandhi Prayagraj: ગટરનું પાણી, કાદવ છતાં ઉમટ્યા હજારો વિદ્યાર્થીઓ, પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો 3D ફોર્મ્યુલા ચર્ચામાં

NEET Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો, WhatsApp ગ્રુપથી NTA નિષ્ણાતો સુધી CBIની ચાર્જશીટમાં ચોંકાવનારા દાવા

  • August 9, 2026
  • 4 views
NEET Paper Leak CBI: NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો, WhatsApp ગ્રુપથી NTA નિષ્ણાતો સુધી CBIની ચાર્જશીટમાં ચોંકાવનારા દાવા

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 9 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો