
Surat News: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટના 15મા માળે સોલાર પેનલ લગાવતી વખતે એક 21 વર્ષીય યુવકનું દુ:ખદ મોત નીપજ્યું છે. રાંદેર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવારજનો સુરત પહોંચી ગયા છે અને બેદરકારીના મુદ્દે પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ઉત્તરાખંડના વતની 21 વર્ષીય રોહિત કુમાર સર્વજિત યાદવ સુરતના રાંદેર વિસ્તારમાં વેરીબી એપાર્ટમેન્ટના બી ટાવરના 15મા માળે સોલાર પેનલ લગાવતી વખતે નીચે બેઝમેન્ટમાં પટકાયો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
રાંદેર પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રોહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. પોલીસે દુર્ઘટનાના કારણો અને બેદરકારીની શક્યતા અંગે તપાસ હાથ ધરી છે.
ઉત્તરાખંડનો યુવક સુરતમાં પાંચ વર્ષથી રહેતો હતો
મૂળ ઉત્તરાખંડનો રોહિત કુમાર સર્વજિત યાદવ છેલ્લા પાંચ વર્ષથી સુરતના રાંદેર વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટીમાં મિત્રો સાથે રહેતો હતો અને ત્રણ વર્ષથી કેપી ગ્રુપની સોલાર કંપનીમાં કામ કરતો હતો.
પરિવારે લગાવ્યા બેદરકારીનો આક્ષેપ
રોહિતના માતા-પિતા વતનમાં રહે છે, પરંતુ અમદાવાદમાં રહેતા માસા ઘટનાની જાણ થતાં સુરત પહોંચ્યા. પરિવારે બેદરકારીની શક્યતા વ્યક્ત કરી અને પોલીસને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી.
સુરક્ષાનો મુદ્દે ઉઠ્યા સવાલો
15મા માળે સોલાર પેનલ લગાવતી વખતે યુવકનું નીચે પટકાવું એ સુરક્ષા ધોરણો પર સવાલ ઉભા કરે છે. રાંદેર પોલીસ આ ઘટનામાં સુરક્ષા ઉપકરણોની ઉપલબ્ધતા અને બેદરકારીની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
આ ઘટનાએ સુરતમાં કામદારોની સુરક્ષા અને ઊંચાઈ પર કામ કરવાના ધોરણો અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાંદેર પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan
Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો
શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો
Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ
Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ
મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ
UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા
Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો
પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran
LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!