
Surendranagar: સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા સંત સવયાના સોસાયટી અને ઠાકર નગર સહિતના રહીશોને પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું મળતા આક્રોશ સાથે મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં AAP નેતા અમૃત મકવાણા, રાજુ કરપડા, કમલેશ કોટેચા, દિપક ચિહલા, સતીશ ગમારા સહિત આગેવાનો ઉપસ્થિત રહીં પાણી નિયમતિપણે આપવા રજૂઆત કરી હતી. જો કે આ વચ્ચે તંત્રએ પોલીસને બોલાવી લીધી હતી. રાજુ કરપડા કહ્યું કે અધિકારીઓ કંઈ સાંભળતાં જ નથી. તેઓ પોલીસને અમારી સાથે ઘર્ષણ કરાવે છે.
સુરેન્દ્રનગર મનપામાં મહિલાઓ, પુરુષો સહિત AAP નેતાઓએ ડોલ, બેડા સાથે પ્રદર્શન કરી વાસ્તવિકતા બતાવવાના પ્રયત્નો કર્યો હતો. પોલીસને આગળ કરી તંત્રએ વિરોધ પ્રદર્શનને રોકવાના પ્રયાસ કર્યા હતા. જો કે લોકો વિરોધ ચાલુ જ રાખ્યો હતો. આ દરમિયાન ભારે ઉહાપોહ મચ્યો હતો.
AAPના રાજુ કારપડાએ આક્ષેપ કર્યા છે કે પાણીના ટાંકા પરથી બારોબાર ટેન્કરો વેચાઈ રહ્યા છે, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ બેફામ પાણીની ચોરી કરી રહ્યા છે જેના કારણે ગરીબોના ઘર સુધી પૂરતું પાણી પહોંચતું નથી. અધિકારીઓ કોઈનું સાંભળતાં નથી.
ગરીબોએ રહેવા માટે કરેલી ઝૂંપડીઓ પાડવા દબાણોનું લિસ્ટ તૈયાર થયું પરંતુ કેટલા ઘરે પાણી પહોંચતું નથી. રાજુ કારપડાએ તંત્રને સવાલો કર્યા છે કે ગટરો ઉભરાય છે, રસ્તા તૂટેલા છે એ લિસ્ટ ક્યારે તૈયાર થશે?
બીજી તરફ હવે સુરેન્દ્રનગરના શહેરીજનો પાણીની સમસ્યાને લઈ લડી લેવાના મૂડમાં છે. લોકો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. મનપા નિયમિત જલ્દી પાણી આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફથી શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી 1.5 ટકાથી વધુ ઘટીને બંધ
આ પણ વાંચોઃ PM પદ માટે CM યોગીએ આપ્યું મોટું નિવેદન, શું કહ્યું?
આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃતકોની સંખ્યા 18 પર પહોંચી, અનેક મજૂરો ગંભીર
આ પણ વાંચોઃ પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?