
Tatanagar-Ernakulam Express: આંધ્રપ્રદેશના યલામાંચિલીમાં આજે સોમવારે તા.29 ડિસેમ્બર, 2025ના રોજ એક મોટી રેલ્વે દુર્ઘટના બની હતી ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના B1 અને M2 કોચમાં અચાનક આગ લાગતા જ ટ્રેનમાં ભારે ભાગદોડ અને ગભરાટની લાગણી ફેલાઇ ગઇ હતી,આગની આ ઘટના રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે બની હતી.
સળગતી ટ્રેનમાંથી મોટાભાગના મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં B1 અને M2 કોચ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા આગની માહિતી મળતા જ લોકો પાઇલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી અને ત્યારબાદ રેલવે કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું હતું,આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે,જોકે, સદનસીબે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત યાલામાંચિલી નજીક થયો હતો અધિકારીઓને સોમવારે રાત્રે 12:45 વાગ્યે આગ લાગવાની જાણ કરવામાં આવી હતી,આગ લાગી ત્યારે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત કોચમાંથી એકમાં 82 મુસાફરો અને બીજામાં 76 મુસાફરો હતા જેઓને બચાવી લેવાયા હતા પણ કમનસીબે, કોચ B1 માંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.
સલામતીના કારણોસર આગની લપેટમાં આવી ગયેલાબંને કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા હતા,ઘટનાસ્થળે હાજર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આગ ખૂબ જ ગંભીર હતી પણ સમયસર કાર્યવાહીને પગલે મોટી જાનહાની થતાં અટકી ગઈ હતી.આ ઘટનાની તપાસ ચાલુ છે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 66 કિલોમીટર દૂર ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં આગ લાગવાની ઘટના અંગે ફોરેન્સિક ટીમો હાલમાં આગના કારણની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!








