
Chaitar Vasava: વર્ષ 2023માં TET(s)અને TAT(hs) શિક્ષકોની પરિક્ષા લેવાઈ હતી. જો કે આજે વર્ષ 2025 ચાલી રહ્યું છે. તેમ છતાં પરિક્ષા લીધેલા ઉમેદાવારોની ભરતી કારઈ નથી. સરકાર આટલું બધુ મોડું ભરતી પ્રક્રિયામાં કેમ કરી રહી છે. આજ મુદ્દે આજે ડેડિયાપાડાના ધારાસભ્યએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો.
ચૈતર વસાવાએ આજે વિધાનસભા ગૃહમાં TET(s)અને TAT(hs) દ્વિસ્તરીય ભરતી વિશે મારો સવાલ કરતાં કહ્યું હતુ કે સપ્ટેમ્બર 2023માં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ અને તેની પરીક્ષા લેવાઈ તો તેની હજુ સુધી ભરતી કેમ નથી થઈ? મંત્રી એ જવાબ આપ્યો કે ભરતી પ્રક્રિયા ચાલુ છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, રાજ્યમાં 1657 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે, જેમાં 1363 આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોની છે તેમ છતાં પણ 2023માં લેવાયેલ પરીક્ષાના શિક્ષકોની આજ સુધી ભરતી નથી થઈ અને પ્રક્રિયા આટલી ધીમી ગતિએ કેમ છે?
24,700 શિક્ષકોની ભરતી કરવા માંગ
આજે વિધાનસભા ગૃહમાં TET(s)અને TAT(hs) દ્વિસ્તરીય ભરતી વિશે મારો સવાલ હતો કે સપ્ટેમ્બર 2023માં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ અને તેની પરીક્ષા લેવાઈ તો તેની હજુ સુધી ભરતી કેમ નથી થઈ? મંત્રીશ્રી એ જવાબ આપ્યો કે ભરતી પ્રક્રિયા ચાલુ છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, 1657 શાળાઓ… pic.twitter.com/keZaHxP2cb
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) March 28, 2025
વધુમાં સવાલ ઉઠાવતાં કહ્યું હતુ કે જેટલા પણ ગુજરાતના યુવાનો સરકારની ધારા ધોરણ પ્રમાણે ટેટ-ટાટ પાસ કરીને પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે, તે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ઘણા ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાની આરે છે. કેટલાક યુવાનો આત્મહત્યા પણ કરે છે. તેમ છતાં પણ સરકાર હજુ કામગીરી ચાલુ છે તેમ બતાવી રહી છે. જો સરકાર હજુ પણ લાંબો સમય લેશે તો મારું માનવું છે કે ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનશે. જેથી ચૈતર વસાવાએ સરકારને કહ્યું છે કે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટે જે જાહેરાત કરી છે તે માટે સરકાર ઝડપથી કાયમી શિક્ષકોની નિમણૂક કરે એવી અમારી માંગ છે.
આ પણ વાંચો: Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા
આ પણ વાંચોઃ Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?
આ પણ વાંચોઃ Tesla: અમેરિકામાં ટેસ્લાની કારને લોકો આગ લગાવી રહ્યા છે, જાણો કારણ?
આ પણ વાંચોઃ Gandhinagar: આરોગ્યકર્મીઓ હડતાળ સમેટે તો ચર્ચા કરીશુંઃ આરોગ્યમંત્રી, 2200 કર્મીઓ સસ્પેન્ડ