
Tejas Crash:દુબઈ એર શોમાં સ્થાનિક સમય મુજબ સવારે 3:40 વાગ્યે ભારતીય ફાઇટર જેટ MK-1 તેજસ ક્રેશ થયું, જેમાં પાયલોટ એવા 35 વર્ષીય નમન સ્યાલ શહીદ થઈ ગયા છે, વાયુસેનાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.20 વર્ષની ઉંમરે IAFમાં જોડાયેલા નમન સ્યાલ તેમની પાછળ તેમના પત્ની (IAF અધિકારી) અને 7 વર્ષની પુત્રીને વિલાપ કરતા મૂકીને ગયા છે.
નમન સ્યાલ શહીદ થયાના સમાચારથી તેમના વતનમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે.તેજસ ક્રેશ થવાની ઘટનામાં વાયુસેના, HAL અને સરકારે ટેકનિકલ તપાસ વધુ તીવ્ર બનાવી છે ત્યારે આવો જાણીએ શહીદ થયેલા ભારતીય પાયલોટ નમન સ્યાલ અને તેમના પરિવાર વિશે.
નમન સ્યાલ મૂળ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પટિયાલકરના વતની હતા. તેઓ માત્ર 20 વર્ષની ઉંમરે ભારતીય વાયુસેનામાં જોડાયા હતા.તેઓના પરિવારમાં માતા-પિતા તથા બહેન અને પત્ની અફશાન અને 7 વર્ષની પુત્રી પણ છે શહીદ નમન સ્યાલના પત્ની અફશાન પણ ભારતીય વાયુસેનામાં પાયલટ તરીકે સેવા આપે છે.નમનના લગ્ન 2014 માં થયા હતા અને તેમને સાત વર્ષની પુત્રી છે. તેમની પત્ની, અફશાન, પોતે પણ ભારતીય વાયુસેનામાં અધિકારી છે.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, નમન અને તેમની પત્ની અફશાનના લગ્ન દુબઈમાં થયા હતા અને તેઓ મોટાભાગે ત્યાં જ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ક્યારેક-ક્યારેક પોતાના પૈતૃક ગામ પટિયાલકરની મુલાકાતે આવતા હતા.નમનના પિતા જગન્નાથ પણ ભારતીય સેનામાં અધિકારી હતા અને બાદમાં શિક્ષણ વિભાગમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા.
નમનના મૃત્યુ સમયે તેમની માતા વીણા દેવી અને પિતા જગન્નાથ હૈદરાબાદમાં હતા.પીએમ મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હિમાચલ પ્રદેશના દીકરાએ દેશ માટે શહીદી વહોરી છે જેની ખોટ હંમેશા રહશે.આમ,આ નાનકડા પરિવારમાં હાલ શોકનો માહોલ છે પણ આખા દેશની જનતામાં પણ એક બાહોશ અને દેશ માટે ખપી જનાર પાયલોટ ગુમાવ્યાની લાગણી સાથે શોક પ્રવર્તી રહ્યો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








