Telangana: સુરંગનો એક ભાગ તૂટી પડ્યો, 7 કામદારો ફસાયા, શા માટે બનાઈ રહી છે સુરંગ?

  • India
  • February 22, 2025
  • 0 Comments

Telangana tunnel collapse:  તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં SLBC ટનલમાં એક મોટી દુર્ઘટના બની છે. ટનલની છતનો ત્રણ મીટર ભાગ તૂટી પડ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સવારે અમરાબાદ મંડળના ડોમલપેંટા નજીક બની હતી. SLBC ટનલ પ્રોજેક્ટનું કામ ઝડપી પૂર્ણ કરવા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે આ ઘટના બનતાં શ્રમિજીઓના જીવ તાળવે ચોંટ્યા છે.

જાણકારી અનુસાર સવારે લગભગ 8:30 વાગ્યે માટીનો કાટમાળ પડવા લાગ્યો હતો. જેના કારણે પહેલી શિફ્ટમાં કામ કરતા 50 કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 43 કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે. જો હજુ 7 કામદારો ટનલમાં જ ફસાયેલા છે. જેમને રેસ્કયૂ ટીમ દ્વારા બહાર લાવવાા પ્રયત્નો હાથ ધરાયા છે. આ ઘટનામાં ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સુરંગના એન્ટર પોઈન્ટથી લઈ 14 કીમી અંદર બની છે.

SLBC ટનલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શ્રીશૈલમ પ્રોજેક્ટના બેકવોટરમાંથી પાણી વાળીને દુષ્કાળગ્રસ્ત નાલગોંડા જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ SLBC સુરંગમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને બચાવ કામગીરીને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યો. એક નિવેદનમાં, તેલંગાણાના સીએમઓએ જણાવ્યું હતું કે ટનલની છત તૂટી પડવાની માહિતી મળતાં જ મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ચેતવણી આપી હતી. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર, એસપી, ફાયર સર્વિસ વિભાગ, હાઈડ્રાને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત પગલાં લેવા આદેશ આપ્યો છે..

દરમિયાન, મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડી તાત્કાલિક ખાસ હેલિકોપ્ટરમાં ઘટનાસ્થળે પહોંચ્યા છે. અને સિંચાઈ વિભાગના સલાહકાર આદિત્યનાથ દાસ સાથે બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓ પાસેથી ટનલની છત તૂટી પડવાના કારણ અંગે જવાબદાર અધિકારીઓ પાસે જવાબ માગ્યા છે. તેમણે અધિકારીઓને ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?

સુરંગની અંદર ફસાયેલા કામદારો

ગુરજીત સિંહ (પંજાબ)
સનિત સિંહ (જમ્મુ અને કાશ્મીર)
શ્રીનિવાસુલુ (ઉત્તર પ્રદેશ)
મનોજ રૂબેના (ઉત્તર પ્રદેશ)
સંદીપ (ઝારખંડ)
સંતોષ (ઝારખંડ)
જટકા હીરન (ઝારખંડ)

https://youtu.be/FEo-pHb4IlE?si=XFG7B6Fsv5Y0HOVH

Related Posts

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
  • December 16, 2025

Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ…

Continue reading
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
  • December 16, 2025

Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MP Parimal Nathwani: ‘ધ ગુજરાત રિપોર્ટ’ સામે ₹ 100 કરોડનો બદનક્ષી દાવો! જુઓ મયુર ભાઈ જાનીએ શું કહ્યું?

  • December 16, 2025
  • 7 views
MP Parimal Nathwani: ‘ધ ગુજરાત રિપોર્ટ’ સામે ₹ 100 કરોડનો બદનક્ષી દાવો! જુઓ મયુર ભાઈ જાનીએ શું કહ્યું?

Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો

  • December 16, 2025
  • 17 views
Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 10 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 7 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 8 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 21 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’