Kota Srinivasa Rao: તેલુગુ સિનેમાના અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન, ચાહકોમાં શોકની લહેર

  • Famous
  • July 13, 2025
  • 0 Comments

 Kota Srinivasa Rao Pass away: તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમણે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સના ફિલ્મનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચારથી તેલુગુ ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓએ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કર્યો અને લખ્યું, “પોતાની વિવિધ ભૂમિકાઓથી ફિલ્મ દર્શકોનો પ્રેમ જીતનારા પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન દુઃખદ છે. લગભગ 4 દાયકા સુધી ફિલ્મ અને થિયેટર ઉદ્યોગ માટે તેમની કલાત્મક સેવા અને તેમણે ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય છે. ખલનાયક અને પાત્ર કલાકાર તરીકેની તેમની ઘણી મીઠી ભૂમિકાઓ હંમેશા તેલુગુ દર્શકોના હૃદયમાં રહેશે. તેમનું નિધન તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. તેમણે 1999 માં વિજયવાડાથી ધારાસભ્ય પદ જીતીને લોકોની સેવા કરી. હું તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”

તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને ટ્વિટર પર લખ્યું, “દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન એક આઘાત છે. ફિલ્મ ઉદ્યોગને એક ખોટ પડી છે. ભલે કોટા હવે આપણી વચ્ચે નથી, પણ તેઓ તેમની વૈવિધ્યસભર ભૂમિકાઓથી તેલુગુ લોકોના હૃદયમાં હંમેશા અંકિત રહેશે. હું તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું, ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.”

રવિ કિશને ટ્વિટર પર લખ્યું, “તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવજીનું નિધન ખૂબ જ દુઃખદ  છે. તેમની અદ્ભુત અભિનય પ્રતિભા હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને શક્તિ આપે.”

કોટા શ્રીનિવાસ રાવના અંતિમ સંસ્કાર

અભિનેતાના અંતિમ સંસ્કાર સમયે, મેગાસ્ટાર  ચિરંજીવીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે રાવના પાર્થિવ શરીર પર લાલ ગુલાબનો હાર ચઢાવ્યો. તેમણે તેમના ચિત્ર સામે માથું નમાવ્યું અને અભિનેતાના સંબંધીઓ અને પરિવારને મળ્યા.

અર્જુનથી લઈને ચિરંજીવી સુધીના સુપરસ્ટાર સાથે કામ કર્યું

Veteran Telugu actor Kota Srinivasa Rao passed away in Hyderabad at the age of 83 due to health issues.

કોટા શ્રીનિવાસ રાવ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતું નામ હતું. તેમણે 1978 માં તેલુગુ ફિલ્મ ‘પ્રણમ ખારીડુ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે 750 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની શાનદાર અભિનય ક્ષમતાથી દર્શકોના દિલ જીતી લીધા. તેમની વૈવિધ્યસભર ભૂમિકાઓ, ખાસ કરીને ખલનાયક અને પાત્ર ભૂમિકાઓ, તેલુગુ સિનેમાના દર્શકો માટે હંમેશા યાદગાર રહેશે.

તેમણે અલ્લુ અર્જુનથી લઈને ચિરંજીવી સુધીના સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. તેમણે 2015 માં પદ્મશ્રી અને ભારતીય સિનેમામાં તેમના અજોડ યોગદાન માટે નવ નંદી પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજકારણમાં પ્રવેશ

અભિનય ઉપરાંત કોટા શ્રીનિવાસ રાવે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો  હતો. તેઓ 1990 ના દાયકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા અને 1999 માં વિજયવાડા પૂર્વથી આંધ્ર પ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના પ્રદેશના લોકોની સેવા કરવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ

 પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું

Bhavnagar: મનપાના નબળા આયોજનથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકો રોષે ભરાયા

Odisha: પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરતાં પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ, ભાગ્યે જ બચે, કોલેજ તંત્રએ પગલા ન લેતાં ભર્યું ભગલું

Language Controversy: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બાબતે વધુ એક રિક્ષાચલાકને ઢોર માર મરાયો

Chhota Udepur: આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ, ફરી એક પ્રસૂતાને ઝોળીમાં નાખી 4 કિમી દૂર 108 સુધી લઈ જવી પડી

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ

Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

 

 

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત