રાજ્યમાં ધડાધડ એક પછી એક અપઘાતની ઘટનાઓ; સુરતમાં બે વિદ્યાર્થીના આપઘાત

  • Gujarat
  • March 23, 2025
  • 0 Comments
  • રાજ્યમાં ધડાધડ એક પછી એક અપઘાતની ઘટનાઓ; સુરતમાં બે વિદ્યાર્થીના આપઘાત

રાજ્યમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની-નાની વાતોમાં બાળકો આપઘાત કરવા લાગ્યા છે. જે ખુબ જ ચિંતાજનક અને ગંભીર બાબત છે. એક વખત ફરીથી એક જ દિવસે સુરતમાં બે વિદ્યાર્થીઓએ પોતાના જીવન સંકેલી લીધી છે .મળી રહેલી માહિતી અનુસાર, સુરતમાં વિદ્યાર્થીનીએ ખરાબ પેપર જવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, તો અન્ય એક ઘટનામાં એક વિદ્યાર્થીએ માઇગ્રેનના કારણે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

ડિજિટલ યુગમાં સમાજમાં રહેતા હોવા છતાં લોકો એકબીજાથી ખુબ જ દૂર હોવાનો ઉદાહરણ રૂપ આપઘાતના કેસો સામે આવી રહ્યા છે. તો મોબાઇલ ગુમ ખોવાઇ જવા અને મોબાઈલ તૂટી જવા જેવી નાની બાબતોમાં બાળકો આપઘાત કરી રહ્યા છે. જે સમાજ અને માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સાઓ છે. આગામી સમયમાં આવી ઘટનાઓમાં વધારે વધારો થઈ શકે છે. તેથી માતા-પિતાને ભયમુક્ત વાતાવરણ બનાવવો જરૂરી છે.

સુરતમાં બે આપઘાત

સુરતમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ભારે હોબાળો મચી ગયો છે. સિંગણપોર વિસ્તારમાં ધોરણ 10ની એક વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષામાં સારું ન થતાં અને અમરોલીમાં CAના વિદ્યાર્થીએ માઇગ્રેનની તકલીફથી કંટાળીને પોતાનું જીવન સમાપ્ત કરી લીધું.

પેપર સારાં ન જતાં વિદ્યાર્થિનીએ ભર્યું આત્મઘાતી પગલું

મળતી વિગતો મુજબ, સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગોંડલિયાની 15 વર્ષની દીકરી હેતલ ગોંડલિયાએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. હેતલે તાજેતરમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપી હતી, પરંતુ પેપર સારાં ન જતાં તે ટેન્શનમાં આવી ગઈ હતી અને આ કારણે તેણે આ ભયંકર પગલું ભર્યું હોવાનું મનાય છે. દીકરીના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

માઇગ્રેનથી કંટાળી CA વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

બીજી ઘટનામાં અમરોલીના છાપરાભાઠા રોડ નજીક રહેતા 23 વર્ષના ધ્રુવીન હિરપરાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. ધ્રુવીન CAના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે લાંબા સમયથી માઇગ્રેનની બીમારીથી પીડાતો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. જોકે, આ બીમારીથી કંટાળીને તેણે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હોવાની શક્યતા છે.

મોબાઈલના કારણે આપઘાત

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને અલગ-અલગ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે. જામનગરના હાપા વિસ્તારમાં 15 વર્ષની એક તરુણીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, જેનાથી ભારે ચર્ચા જાગી છે. મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમની દીકરીની સ્કૂલની બેગમાંથી મોબાઈલ મળ્યા બાદ તેણે આ પગલું ભર્યું હોવાનું લાગે છે.

જામનગરમાં પરિણીતાનો આપઘાત

આ ઉપરાંત, જામનગરના સાંઢીયા પૂલ નજીકની સોસાયટીમાં રહેતી 30 વર્ષની પરિણીતા કિંજલ દેથરિયાએ પણ પોતાના ઘરે પંખાના હૂકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાઓએ સમાજમાં ચિંતા વધારી છે, અને પોલીસે તમામ મામલાઓની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- વધુ એક વીડિયો.. જસ્ટિસ વર્માના ઘરની બહાર મળી 500-500ની સળગેલી નોટો, સફાઈ કર્મચારીઓએ જણાવી સંપૂર્ણ સ્ટોરી

 

Related Posts

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 3 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 4 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 25 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 15 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ