રાજ્યમાં ધડાધડ એક પછી એક અપઘાતની ઘટનાઓ; સુરતમાં બે વિદ્યાર્થીના આપઘાત

  • રાજ્યમાં ધડાધડ એક પછી એક અપઘાતની ઘટનાઓ; સુરતમાં બે વિદ્યાર્થીના આપઘાત

રાજ્યમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની-નાની વાતોમાં બાળકો આપઘાત કરવા લાગ્યા છે. જે ખુબ જ ચિંતાજનક અને ગંભીર બાબત છે. એક વખત ફરીથી એક જ દિવસે સુરતમાં બે વિદ્યાર્થીઓએ પોતાના જીવન સંકેલી લીધી છે .મળી રહેલી માહિતી અનુસાર, સુરતમાં વિદ્યાર્થીનીએ ખરાબ પેપર જવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, તો અન્ય એક ઘટનામાં એક વિદ્યાર્થીએ માઇગ્રેનના કારણે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

ડિજિટલ યુગમાં સમાજમાં રહેતા હોવા છતાં લોકો એકબીજાથી ખુબ જ દૂર હોવાનો ઉદાહરણ રૂપ આપઘાતના કેસો સામે આવી રહ્યા છે. તો મોબાઇલ ગુમ ખોવાઇ જવા અને મોબાઈલ તૂટી જવા જેવી નાની બાબતોમાં બાળકો આપઘાત કરી રહ્યા છે. જે સમાજ અને માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સાઓ છે. આગામી સમયમાં આવી ઘટનાઓમાં વધારે વધારો થઈ શકે છે. તેથી માતા-પિતાને ભયમુક્ત વાતાવરણ બનાવવો જરૂરી છે.

સુરતમાં બે આપઘાત

સુરતમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ભારે હોબાળો મચી ગયો છે. સિંગણપોર વિસ્તારમાં ધોરણ 10ની એક વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષામાં સારું ન થતાં અને અમરોલીમાં CAના વિદ્યાર્થીએ માઇગ્રેનની તકલીફથી કંટાળીને પોતાનું જીવન સમાપ્ત કરી લીધું.

પેપર સારાં ન જતાં વિદ્યાર્થિનીએ ભર્યું આત્મઘાતી પગલું

મળતી વિગતો મુજબ, સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગોંડલિયાની 15 વર્ષની દીકરી હેતલ ગોંડલિયાએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. હેતલે તાજેતરમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપી હતી, પરંતુ પેપર સારાં ન જતાં તે ટેન્શનમાં આવી ગઈ હતી અને આ કારણે તેણે આ ભયંકર પગલું ભર્યું હોવાનું મનાય છે. દીકરીના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

માઇગ્રેનથી કંટાળી CA વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

બીજી ઘટનામાં અમરોલીના છાપરાભાઠા રોડ નજીક રહેતા 23 વર્ષના ધ્રુવીન હિરપરાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. ધ્રુવીન CAના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે લાંબા સમયથી માઇગ્રેનની બીમારીથી પીડાતો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. જોકે, આ બીમારીથી કંટાળીને તેણે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હોવાની શક્યતા છે.

મોબાઈલના કારણે આપઘાત

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને અલગ-અલગ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે. જામનગરના હાપા વિસ્તારમાં 15 વર્ષની એક તરુણીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, જેનાથી ભારે ચર્ચા જાગી છે. મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમની દીકરીની સ્કૂલની બેગમાંથી મોબાઈલ મળ્યા બાદ તેણે આ પગલું ભર્યું હોવાનું લાગે છે.

જામનગરમાં પરિણીતાનો આપઘાત

આ ઉપરાંત, જામનગરના સાંઢીયા પૂલ નજીકની સોસાયટીમાં રહેતી 30 વર્ષની પરિણીતા કિંજલ દેથરિયાએ પણ પોતાના ઘરે પંખાના હૂકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાઓએ સમાજમાં ચિંતા વધારી છે, અને પોલીસે તમામ મામલાઓની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- વધુ એક વીડિયો.. જસ્ટિસ વર્માના ઘરની બહાર મળી 500-500ની સળગેલી નોટો, સફાઈ કર્મચારીઓએ જણાવી સંપૂર્ણ સ્ટોરી

 

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 2 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 11 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 6 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 13 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!