
● ભારત, ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, વિયેતનામ અને ક્યુબા સહિતના 07 દેશોએ પશ્ચિમી દેશોના પ્રસ્તાવનો વિરોધ કર્યો
UNHRC: હાલમાં ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે અમેરિકાની તોપોના નાળચા ઈરાન સામે મંડાયેલા છે અને બોંમ્બર વિમાનો તેમજ મિસાઇલ માત્ર ટ્રમ્પના એક ઈશારે ઈરાનને કચડી કાઢવા દરિયાઈ સીમમાં ધામા નાખીને બેઠા છે તેવે સમયે
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના 39મા વિશેષ સત્રમાં વૈશ્વિક સ્તરે એક મોટી રાજકીય ઘટના જોવા મળી કે હાલમાં ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને માનવાધિકારના મુદ્દે પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવનો ભારતે ખુલ્લેઆમ સખત વિરોધ નોંધાવ્યો છે.
ભારતે પ્રસ્તાવથી ‘નરો વા કુંજો’ની નીતિ રાખ્યા વગર પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવના વિરુદ્ધમાં ‘NO’ વોટ આપતા અમેરિકા અને યુરોપિયન યુનિયન ચોંકી ગયા છે કારણકે તેઓએ આ વિચાર્યું ન હતું.
મહત્વનું છે કે ઈરાનમાં ડિસેમ્બર 2025થી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો ચાલી રહયા છે જેમાં ઈરાન સરકારની કાર્યવાહીની નિંદા કરવાનો અને તેની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવા માટે નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં UN હાઈ કમિશનર વોલ્કર તુર્કે ઈરાનમાં ચાલી રહેલા તોફાનોને ‘ક્રૂર દમન’ ગણાવી તપાસની માંગ કરી હતી જેમાં મતદાન પ્રસ્તાવ સંખ્યા A/HRC/S-39/L.1 પર થયું હતું.
● UNHRCમાં થયેલા મતદાનના પરિણામોમાં વૈશ્વિક સ્તરે સ્પષ્ટ વિભાજન સામે આવ્યુ છે.
આ મતદાન પ્રક્રિયામાં ફ્રાન્સ, જર્મની, જાપાન, યુકે, મેક્સિકો અને દક્ષિણ કોરિયા જેવા 25 પશ્ચિમી અને અન્ય દેશોએ પ્રસ્તાવની પક્ષમાં (YES) વોટ આપ્યો હતો જ્યારે ભારત, ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, વિયેતનામ અને ક્યુબા સહિતના 07 દેશોએ પ્રસ્તાવના વિરોધમાં (NO) મતદાન કર્યું હતું જ્યારે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવા 14 દેશો આ પ્રક્રિયાથી અલિપ્ત રહયા અને તટસ્થ (ABSTAIN) ભૂમિકામાં રહ્યા હતા.
આ પ્રસ્તાવમાં ભારતે વિરોધ કરી ઇરાનને ખુલ્લું સમર્થન કરતા વિશ્વના ઘણા દેશો ચોંકી ગયા છે કારણકે આંતરરાષ્ટ્રીય મંચ પર આવા મુદ્દાઓ ઉપર મોટાભાગે ભારત ‘તટસ્થ’ રહેવાની નીતિ અપનાવતું આવ્યું છે, પરંતુ આ વખતે ઈરાનના મુદ્દે સીધો વિરોધ કર્યો છે.
આ મામલે વિશ્લેષકો માને છે કે ભારતે આ પગલા દ્વારા સંદેશ આપ્યો હોય શકે છે કે તેની વિદેશ નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે પશ્ચિમી દેશોના કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણય લઇ શકે છે. બીજું કે ઈરાન સાથેના ભારતના સારા સંબંધો રહયા છે અને ‘ચાબહાર પોર્ટ’ જેવી વ્યૂહાત્મક પરિયોજનાઓ ભારત માટે અત્યંત મહત્ત્વની જેનું ધ્યાન રાખવામાં આવી શક્યું હોય છે.
સાથેજ માનવાધિકારના બહાના હેઠળ કોઈ પણ દેશની તેની પોતાની આંતરિક બાબતોમાં વિદેશી તપાસ કે હસ્તક્ષેપ સ્વીકારી શકાય નહીં કાલે ઉઠીને બીજા સાથે પણ આવું જ થઈ શકે છે આ વખતના બદલાયેલા સમીકરણોમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત,ચીન અને પાકિસ્તાન એક મંચ પર સાથે ઊભેલા જોવા મળ્યા હતા, જે વૈશ્વિક રાજકારણની બદલાયેલી સ્થિતિમાં એક અત્યંત નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.
માનવાધિકાર સંગઠન HRANA દ્વારા કુલ 4,519 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને દાવો કર્યો છે કે અન્ય 9,000થી વધુ શંકાસ્પદ મોતના કિસ્સાઓમાં હજુ તપાસ ચાલુ છે જોકે,ઈરાન સરકારે માનવાધિકાર સંગઠન HRANAના આ આંકડાને રદિયો આપ્યો છે અને આ પ્રસ્તાવને રાજકીય પ્રેરિત ગણાવીને ફગાવી દીધો છે
ઈરાન સરકારે લગભગ 3,000 લોકોના મોતની સત્તાવાર કબૂલાત કરી છે જોકે, ભારત,ચીન સહિતના દેશોના વિરોધ છતાં બહુમતીને કારણે પ્રસ્તાવ તો પસાર થઈ ગયો છે, પરંતુ ભારત, ચીન,પાકિસ્તાન જેવા દેશો એક મંચ ઉપર આવતા બદલાયેલા સમીકરણોને વૈશ્વિક ગુરુઓ અલગ ચશ્માથી જોઈ રહયા છે અને તેની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








