Meerut Fake priest: મેરઠમાં કાશિમ બની બેઠો કૃષ્ણ, ધર્મ બદલી મંદિરમાં કરાવવા લાગ્યો પૂજાપાઠ, કેવી રીતે થયો પર્દાફાશ?

  • India
  • July 24, 2025
  • 0 Comments

UP Meerut Fake priest: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી હિન્દુ આસ્થાને ઠેસ પહોંચડતો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અહીં બિહારના એક વ્યક્તિએ પોતાનો દેખાવ, નામ અને ધર્મ બદલીને એવી છેતરપિંડી કરી છે કે તમે જાણીને ચોંકી જશો. છેતરપિંડીના આરોપીનું નામ કાસિમ છે અને તે બિહારનો રહેવાસી છે. કાસિમ મેરઠના એક મંદિરમાં કૃષ્ણના નામથી પૂજારી બની બેઠો હતો. જ્યારે કેટલાક લોકોને કાસિમ પર શંકા ગઈ, ત્યારે કાસિનો ભાંડો ફૂટ્યો. પોલીસે હાલમાં કાસિમને ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ મામલો મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારના દાદરી ગામનો છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર છે. કહેવામાં આવી રહ્યું છે કે એક વર્ષ પહેલા માણસ ગામમાં આવ્યો અને પોતાનું નામ કૃષ્ણ પુત્ર સંતોષ રહેવાસી દિલ્હી હોવાનું જણાવ્યું અને ગામલોકો પાસેથી મંદિરમાં રહેવાની પરવાનગી માંગી હતી. મંદિરમાં કોઈ પૂજારી ન હોવાથી કૃષ્ણને મંદિરમાં રહેવાની મંજૂરી આપવામાં આવી. આ પછી આ વ્યક્તિ મંદિરમાં રહીને પૂજા કરવા લાગ્યો. થોડા સમય પછી ગામના કેટલાક લોકોને શંકા ગઈ અને તેમણે કૃષ્ણ પાસેથી તેનું આધાર કાર્ડ માંગ્યું. પરંતુ તે ત્વરિત આધારકાર્ડ આપ્યું નહીં.

આધારકાર્ડ બતાવવામાં ગલ્લાતલ્લા

આ સમય દરમિયાન તે 15 દિવસ સુધી પોતાનું આધાર કાર્ડ લાવવાનું કહીને ગુમ થઈ ગયો. બાદમાં તે મંદિરમાં પાછો આવ્યો અને ત્યાં રહેવા લાગ્યો અને અહીં થોડા દિવસો પહેલા તેનો કેટલાક ગ્રામજનો સાથે હસ્તરેખા વાંચવા અંગે ઝઘડો થયો હતો. બુધવારે ગામલોકોએ કાવડ યાત્રા નિમિત્તે મંદિરમાં ભંડારાનું આયોજન કર્યું હતું. આ વખતે આયોજિત ભંડારામાં પહોંચ્યો અને મંદિરના રૂમમાંથી કેટલીક વસ્તુઓ કાઢવા લાગ્યો.

આ પછી તેને પકડવામાં આવ્યો અને અને તેનું આધારકાર્ડ તપાસ કરતાં તે મુસ્લીમ નિકળ્યો. જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનું નામ કાસિમ જણાવ્યું, જે બિહારનો રહેવાસી છે, નકલી પૂજારીએ હકીકત કબૂલતાં જ હોબાળો મચી ગયો હતો. આરોપ છે કે કાસિમ બિહારનો રહેવાસી છે અને 1 વર્ષથી મેરઠના દાદરીમાં એક મંદિરમાં કૃષ્ણ તરીકે રહેતો હતો અને ત્યાં પૂજા પણ કરતો હતો.

પિતા બિહારમાં મૌલવી

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કાસિમના પિતાનું નામ અબ્બાસ છે. તેના પિતા બિહારમાં મૌલવી છે. પોલીસે આરોપી કાસિમને કસ્ટડીમાં લીધો છે. બિહારથી પણ આ મામલાની ચકાસણી કરવામાં આવી રહી છે. મેરઠના એસપી સિટી આયુષ વિક્રમે પણ દૌરાલા પોલીસ સ્ટેશનની આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે કાસિમ પર દાન ચોરી કરવાનો પણ આરોપ છે.

 

આ પણ વાંચો:

Thailand Cambodia War: શિવ મંદિર માટે થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, જાણો શું છે મોટો વિવાદ?

Russia Plane Crash: રશિયામાં અમદાવાદની જેમ વિમાન ક્રેશ, 50 લોકો સવાર હતા, જુઓ

Ahmedabad plane crash: શું ભારતે ખરેખર બ્રિટિશ નાગરિકોના ખોટા મૃતદેહ સોંપી દીધા?,વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખૂલાસો!

Kheda: રાત્રે પ્રેમિકાને મળવા જવું પ્રેમીને મોંઘુ પડ્યુ, ભાગવા જતાં તીક્ષ્ણ હથિયારથી હુમલો, જાણો વધુ!

Harshvardhan Jain: ગાઝિયાબાદમાં 3 વર્ષથી નકલી દૂતાવાસ ચલાવનાર હર્ષવર્ધન જૈન કેટલું ભણેલો?, જાણો કારનામા

UP: ગાઝિયાબાદમાંથી ઠગાઈનું મોટું નેટવર્ક ઝડપાયું, નકલી દેશો બનાવી દૂતાવાસ ખોલ્યું, વૈભવી ગાડીઓ, મોદી સાથે તસ્વીર… વાંચો વધુ

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત