UP: ‘મારા પતિને ઠેકાણે પાડી દે નહીં તો ઝેર પી લઈશ’, પત્નીએ પ્રેમીના હાથે પતિને મરાવી નાખ્યો!

  • India
  • October 15, 2025
  • 0 Comments

UP Crime: ઉત્તર પ્રદેશના મુરાદાબાદના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલેહદાદપુર દેવા નાગલા ગામે એક હચમચાવી નાખતી ઘટના બની છે. અહીં વીરપાલ નામના ખેડૂતની હત્યા કરી નાખવામાં આવતાં ચકચાર મચી ગયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકની પત્ની સુનિતાએ તેના પ્રેમી અંશુ સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. આરોપી મહિલાને પાંચ બાળકો છે અને તે તેના પ્રેમી કરતા 12 વર્ષ મોટી છે.

પૂછપરછ દરમિયાન સુનિતાએ કબૂલાત કરી કે તેમના અને અંશુના ખેતરો આજુબાજુ આવેલા છે. લગભગ ચાર મહિના પહેલા અંશુ ડાંગરની વાવણી દરમિયાન સુનિતાને ખેતરે આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સુનિતાના જણાવ્યા મુજબ તે ઘણીવાર તેના પતિ વીરપાલને દારૂ પીવડાવીને ખેતરોમાં મોકલતી હતી, જ્યારે તે તેના પ્રેમી અંશુને ઘરે બોલાવતી હતી.

થોડા દિવસ પહેલા જ વીરપાલ પોતાના ઘરે આવતાં જ બંનેને આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા વીપરપાલે પછી પત્નીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ સુનીતાએ અંશુને કહ્યું હતું કે મારા પતિને ઠેકાણે પાડી દે નહીં તો હું ઝેર પી આપઘાત કરી લઈશ.

પતિની હત્યાનું સડયંત્ર ઘડ્યું!

2 ઓક્ટોબરે ડાંગરના પાકને થ્રેસીંગ કરતી વખતે વીરપાલ ફરીએકવાર અંશુ અને સુનિતાને એકસાથે જોઈ ગયો હતો. ત્યારે પણ મોટો ઝઘડો થયો હોવાનું કહેવાઈ છે. આ પછી, બંનેએ વીરપાલને ખતમ કરવાનું ખાવતરું રચ્યું. 13 ઓક્ટોબરની રાત્રે જ્યારે વીરપાલ ખેતરોમાં ગયો ત્યારે અંશુ સુનિતાના કહેવાથી ત્યાં પહોંચ્યો અને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.

અંશુએ પોલીસને કબૂલ્યું છે કે તેઓ ડાંગર વાવતી વખતે મળ્યા હતા, અને પછી તેમનો પ્રેમ સંબંધ બંધાયો હતો. સુનિતાએ તેના પ્રેમીને કહ્યું હતુ કે “તમે હજી લગ્ન કર્યા નથી. હું આખી જિંદગી તમારી સાથે રહીશ, પણ જો મારો પતિ રસ્તામાંથી હટી જાય તો જ.” આના કારણે અંશુએ હત્યા કરી નાખી.

પોલીસે દંપતીના મોબાઇલ કોલ રેકોર્ડ અને સ્થાનિક સાક્ષીઓના નિવેદનોના આધારે ગુનાનો પર્દાફાશ કર્યો. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનો કબૂલ્યો. પોલીસે સુનિતા અને અંશુ સામે હત્યાનો કેસ દાખલ કરીને જેલમાં મોકલી દીધા છે. મૃતક વીરપાલના પાંચ નાના બાળકોને હવે તેની વૃદ્ધ માતા સંભાળે છે.

આ પણ વાંચો:

UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!

Pankaj Dheer: મહાભારતના ‘કર્ણ’ પંકજ ધીરનું અવસાન, 68 વર્ષની વયે કેન્સર સામે ‘જંગ’ હર્યા

Ahmedabad: પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, JG યુનિવર્સિટી ખાતે મોટો હોબાળો

 Ahmedabad: સેશન્સ કોર્ટના જજ પર બેવાર જુતું ફેંકાયું, શું છે કારણ?

 

Related Posts

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં
  • September 16, 2026

UAPA Bail Long Custody: ભારતીય અદાલતોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલા કેસોમાં લાંબા સમયથી જેલમાં રહેલા અંડરટ્રાયલ આરોપીઓને જામીન આપવાના અનેક તાજેતરના નિર્ણયો સામે આવ્યા છે. આ કેસોમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 7 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 9 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

BRICS Summit Satire: બાળકો જેને તળાવ કહે છે, પ્રશાસન તેને રસ્તો કહે છે! અને અમે બંનેનું સન્માન કરીએ છીએ

  • September 16, 2026
  • 7 views
BRICS Summit Satire: બાળકો જેને તળાવ કહે છે, પ્રશાસન તેને રસ્તો કહે છે! અને અમે બંનેનું સન્માન કરીએ છીએ