UP Police Missing: કુંભ મેળા બાદ 161 પોલીસ કર્મીઓ ગાયબ થતા ખળભળાટ, વિભાગ શોધવામાં લાગ્યું

  • India
  • July 25, 2025
  • 0 Comments

UP Police Missing: ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંના કમિશનરેટમાંથી 53 પોલીસકર્મીઓ ગુમ છે.  આ મામલે અખિલેશ યાદવે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, ગુમ થયેલા પોલીસકર્મીઓની સંખ્યા 161 છે, જેમાં કેટલાક ઇન્સ્પેક્ટર પણ શામેલ છે. પરંતુ, બુધવારે કાનપુર પોલીસ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામા આવી હતી. ડીસીપી એસએમ કાસિમ આબ્દીએ એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે 161 પોલીસકર્મીઓ ગુમ થયાના સમાચાર પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે તપાસમાં બહાર આવ્યું છે કે વિભાગના 53 પોલીસકર્મીઓ ફરજ પરથી ગેરહાજર છે.

યુપીના 161 પોલીસ કર્મચારીઓ ગુમ!

આ અંગે માહિતી આપતા ડીસીપી એસએમ કાસિમ આબ્દીએ કહ્યું કે મીડિયામાં એવા અહેવાલો છે કે 161 પોલીસકર્મીઓ ગુમ છે. આ આંકડો પાયાવિહોણો છે. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે પોલીસના વિવિધ વિભાગો – ટ્રાફિક, ગુના, પોલીસ લાઇન અને કેટલાક પોલીસ સ્ટેશનોના 53 પોલીસકર્મીઓ તેમની ફરજ પરથી ગેરહાજર છે. આ બધી ફાઇલો મોકલી દેવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ આ મામલે વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કર્મીઓનો સંપર્ક થઈ શક્યો નથી

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે આ તે પોલીસકર્મીઓ છે જેઓ રજા પર પોતપોતાના ઘરે ગયા હતા અને પછી ફરજ પર પાછા ફર્યા નથી. આમાંથી કેટલાક પોલીસકર્મીઓ ઘણા મહિનાઓથી ગુમ છે અને કેટલાક છેલ્લા કેટલાક અઠવાડિયાથી. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. ડીસીપી એસએમ કાસિબ આબ્દી કહે છે કે તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલો તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 

Ghaziabad Crime News: Blinkit અને Swiggy ના ડ્રેસમાં દુકાનમાં ઘૂસ્યા, બંદૂકની અણીએ લૂંટ, લાખોના ઘરેણાં લઈ ફરાર

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી

Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા

Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો

  • Related Posts

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
    • October 28, 2025

    Col Rohit Chaudhary: કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર અગ્નિવીરોને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે પહેલા તેમને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક જાહેરનામું…

    Continue reading
    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
    • October 28, 2025

    8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 3 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 5 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 19 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 8 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 20 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 18 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees