
UP Road Accident: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોમવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂર પાટ ઝડપે આવતી ઇનોવા કાર કાબુ બહાર ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં મુસાફરી કરી રહેલા બધા યુવાનો મિત્રો હતા, જેઓ ગુજરાતના ગાંધીનગરથી કેદારનાથના દર્શન કરવા જઈ રહ્યા હતા.
ગુજરાતથી કેદારનાથ જતા મિત્રોને નડ્યો અસ્માત
મળતી માહિતી મુજબ છપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાણીપત ખાટીમા-નેશનલ હાઇવે પર એક ઝડપી ગતિએ આવતી ઇનોવા કાર કાબુ બહાર ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. આ કારમાં સવાર ગુજરાતના ગાંધીનગરના પાંચ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
4 મિત્રોના મોત, એકની હાલત ગંભીર
ગાંધીનગરથી કેદારનાથ દર્શન માટે જઈ રહેલા ચાર મિત્રો અમિત, ભરત, કર્ણ અને વિપુલનું સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે જીગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ સાથે જ આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે શરુ કરી તપાસ
મુઝફ્ફરનગરના એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે છપર પોલીસ સ્ટેશનના ખાટીમા પાણીપત રોડ પર એક ઇનોવા કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી અને તે ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. કારમાં પાંચ લોકો હતા. ચાર લોકોના મોત થયા છે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, તેની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે કારમાં સવાર બધા લોકો ગુજરાતના રહેવાસી હતા, તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.








