Uttarakhand: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં મચી ભાગદોડ, 6ના મોત, ભક્તો એકબીજા પર પડ્યા, વાંચો વધુ

  • India
  • July 27, 2025
  • 0 Comments

Uttarakhand Mansa Devi temple stampede: આજે રવિવારે(27 જુલાઈ, 2025) સવારે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ છે જેના કારણે 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઈજાઓનો ભોગ બન્યા છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મનસા દેવી મંદિર એક પર્વત પર આવેલું છે અને કાવડ યાત્રા પછી રસ્તાઓ ખોલવામાં આવ્યા છે. જેના કારણે અચાનક ભીડ વધી ગઈ અને ભાગદોડ મચી ગઈ. આ ઘટનાને લોકો સરકારની બેદરાકીર ગણાવી રહ્યા છે.

આ મંદિર પર્વત પર ઉંચાઈ પર આવેલું છે. આવી સ્થિતિમાં, દર્શન માટે ભક્તોને સાંકડા રસ્તા પરથી પસાર થવું પડે છે. ઊંચાઈને કારણે સીડીઓ પણ નાની છે. જેના કારણે ભીડ વધી ગઈ અને લોકો એકબીજા પર પડ્યા અને 6 લોકોના મોત થયા. માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મંદિર પરિસરમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ગઢવાલના ડીસી વિનય કુમારે જણાવ્યું હતું કે મનસા દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં બધાને બચાવી લેવામાં આવ્યા છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.

શું ઇલેક્ટ્રિક શોકની અફવાને કારણે ભાગદોડ મચી હતી?

એસપી પ્રમોદ સિંહે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાની આસપાસ મનસા દેવી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભાગદોડનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ભાગદોડ બાદ કુલ 35 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

જ્યાં ડોક્ટરોએ 6 લોકોને મૃત જાહેર કર્યા હતા. ભાગદોડના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પ્રથમ દ્રષ્ટિએ એવું સામે આવ્યું છે કે ભાગદોડ ઇલેક્ટ્રિક શોકની અફવાને કારણે થઈ હતી. ભાગદોડ મંદિરની સીડીઓ પર થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે નાસભાગ મચી હતી.

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શી બંટીએ જણાવ્યું કે મંદિરની નજીક એક થાંભલો છે જ્યાં શોર્ટ સર્કિટ થયું છે. લોકોએ જણાવ્યું કે ત્યાં કરંટ આવતો હતો. આ પછી નાસભાગ મચી ગઈ.

મુખ્યમંત્રીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિરમાં ભાગદોડ અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને બધા ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું.

 

આ પણ વાંચો:

Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi

Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?

Rajasthan school collapse: રાજસ્થાનમાં સરકારી શાળા ધરાશાયી, 5 બાળકોના મોત, 30થી વધુ ગંભીર, ઘટના જોઈ હચમચી જશો

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ