
PM Modi: આજકાલ તકલાદી બાંધકામો એક પછી એક તૂટી રહયા છે, વિકાસના રૂપાળા નામ હેઠળ ઊતાવળમાં બની ગયેલા રૂપકડા બાંધકામો માત્ર 10-12 વર્ષમાં જ ખખડીને તૂટવા લાગે છે ત્યારે ચૂંટણીઓ ટાંકણે જ વડોદરાનું એરપોર્ટ જેવું બાંધકામ અને પીઓપી સ્ટ્રક્ચર ધરાવતું વડોદરાના બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર તૂટી પડતા ભારે ચકચાર મચી ગઇ છે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થઈ ગયું છે જ્યારે એકને ઇજા પહોંચી છે.
મૃતક અમદાવાદના ચાંદખેડાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
રૂપિયા 114 કરોડના ખર્ચે બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી અને બસ વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો આ ઘટના બની ત્યારે સદનસીબે તે જગ્યા ઉપર ભીડ નહિ હોવાથી મોટી જાનહાની ટળી છે અન્યથા મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે વડોદરામાં જ્યારે આ પ્રકારનું બસ સ્ટેશન બન્યું ત્યારે રાજ્યભરમાં ચર્ચા હતી અને લોકોમાં એરપોર્ટ જેવા બસ સ્ટેશનનું આકર્ષણ હતું જેનું વર્ષ 2014ના ફેબ્રુઆરી માસમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું હાલ વડોદરા મનપાની ચૂંટણી ટાંકણે જ આ દુર્ઘટના બનતા રાજકારણ ગરમાયુ છે અને ભાજપના રાજમાં તૂટી પડતા પુલ,પાણીની ટાંકીઓ અને હવે બસ સ્ટેશનનું માળખું ચર્ચાનો મુદ્દો બની ગયો છે.
જો,આ જગ્યા ઉપર મુસાફરોની વધુ અવર જવર હોત તો મોટી જાનહાની થઈ જાત ત્યારે નબળા બાંધકામની પોલ ખુલી ગઈ છે અને માત્ર થોડા વર્ષોમાંજ બાંધકામ તૂટી પડ્યું છે આવા બાંધકામ જાહેર જગ્યાએ ભયજનક બની રહયા છે ત્યારે આ પ્રકરણમાં પણ તપાસ જરૂરી બની છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








