Vadodara: વિજય શ્રીવાસ્તવને ખુલ્લા પાડનાર પ્રોફેસર સતીષ પાઠકને પોલીસની હેરાનગતિ, વડોદરા નવનિર્માણ સંઘ આવ્યું મેદાને

  • Gujarat
  • September 15, 2025
  • 0 Comments

Vadodara: મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રીના આરોપો અને પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના રાજીનામા બાદ હવે આ વિવાદે નવું વળાંક લીધું છે. યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠક, જેમણે વિજય શ્રીવાસ્તવની નકલી પીએચડી ડિગ્રીનો પર્દાફાશ કરી તેમને રાજીનામું આપવા મજબૂર કર્યા, તેઓ હવે પોલીસની હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે એમએસયુના પૂર્વ વીસીને તગેડી મુકનારા સતિષ પાઠકની થઇ રહેલી હેરાનગતિ સામે વડોદરા નવનિર્માણ સંઘ મેદાનમાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો? 

સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો વિજય શ્રીવાસ્તવ, જે 2022થી જાન્યુઆરી 2025 સુધી એમ.એસ. યુનિ.ના વી.સી. હતા, હાલમાં અમદાવાદની કે.એન. યુનિવર્સિટીમાં વી.સી. તરીકે ફરજ બજાવે છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પીએચડી ડિગ્રી ઉત્તર પ્રદેશની બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી 2000માં મેળવી હતી, પરંતુ સર્ટિફિકેટમાં નામ ‘વિજયકુમાર’ હોવાથી શંકા ઉભી થઈ. પ્રોફેસર સતીષ પાઠકે આ ડિગ્રીની સત્યતા પર સવાલ ઉઠાવ્યા અને સોશિયલ મીડિયા તથા મીડિયા દ્વારા આ મુદ્દો ઉજાગર કર્યો. 3 સપ્ટેમ્બર, 2025ના રોજ એક વોટ્સએપ ગ્રુપમાં શ્રીવાસ્તવની ડિગ્રી નકલી હોવાનું PDF વાયરલ થયું, જેના મૂળમાં પાઠક હોવાનું મનાય છે. શ્રીવાસ્તવે બુંદેલખંડ યુનિ. પાસેથી ડિગ્રીની પુષ્ટિ માંગી, અને 4 સપ્ટેમ્બરે યુનિવર્સિટીએ જણાવ્યું કે ખોટા નામ અને રોલ નંબરને કારણે પહેલો રિપોર્ટ ખોટો હતો, અને શ્રીવાસ્તવની ડિગ્રી સાચી છે.

વિજય શ્રીવાસ્તવની સતીષ પાઠક વિરુદ્ધ ફરિયાદ

આ ઘટના બાદ વિજય શ્રીવાસ્તવે સતીષ પાઠક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં બદનામી અને ખોટી માહિતી ફેલાવવાના આરોપો છે. પોલીસે પાઠકનો લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા અને 15 સપ્ટેમ્બરે તપાસ માટે બોલાવ્યા છે. પાઠકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જતાં ચાર કલાક રાહ જોવી પડી, જ્યારે સોલા પોલીસે તરત ફરિયાદ નોંધી. પ્રોફેસર સતીષ પાઠકને હવે આ તપાસમાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસે તેમના જવાબ લીધા છે અને આજ રોજ તેમને બોલાવ્યા છે. ત્યારે સતીષ પાઠક અને તેમના સમર્થકોનું કહેવું છે કે ‘જે વ્યક્તિ લડી રહ્યો છે તેને જ સરકાર સજા આપી રહી છે.’ તેઓ માને છે કે આ રીતે તેમની લડતને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સતિષ પાઠકની થઇ રહેલી હેરાનગતિ સામે વડોદરા નવનિર્માણ સંઘ મેદાનમાં

વડોદરા નવનિર્માણ સંઘના કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું કે, વડોદરા MS યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકની ખોટી રીતે હારેનગતિ થઈ રહી છે જેનું કારણ છે બોગસ દસ્તાવેજો રજૂ કરીને MS યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનેલા વિજય શ્રીવાસ્તવને તેમણે ખુલ્લા પાડ્યા છે. ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિદ્યાર્થીઓ અને નાગરિકોને હું આહ્વવાન કર્યું છે કે, આપણી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની ગરિમાને બચાવવા પ્રોફેસર શ્રી વાસ્તવ જે આબરુ કાઢીને ગયા છે તેની સામે લડત આપનાર પ્રોફેસર સતીષ પાઠકના સમર્થનમાં મોટી સંખ્યામાં જોડાવ તેવું હું સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને આહ્વાન કરું છું.

આ પણ વાંચો:  

 Vadodara: હરણી બોટ કાંડના મુખ્ય આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખાસ સ્થાન, પીડિતો નજરકેદ

PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?

IND vs PAK: પહેલગામના ઘા ક્રિકેટની ચમકથી રુઝાયા નહીં, પાક. સામે ભારતની જીત છતાં દેશમાં જશ્નનો માહોલ નહીં

Trump’s tariff policy: ટ્રમ્પની નીતિ ‘બળિયાના બે ભાગ’ જેવી, ભારત માટે જાહેર ટેરિફ, ચીનને અડપલું કેમ નહીં?

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 5 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 10 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો