જો વક્ફ બીલ સંસદમાં પસાર થશે, તો અમે શાંત બેસીશું નહીં, દેશવ્યાપી આંદોલન કરીશું: AIMPLB

  • India
  • April 2, 2025
  • 0 Comments

AIMPLB Protest Waqf Amendment Bill: આજે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ બીલ રજ કર્યું છે. બિલ રજૂ થતાં મુસ્લીમ સમુદાય નારાજ છે. મુસ્લીમ સમુદાય આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું છે કે જો આ બિલ સંસદમાં પસાર થશે, તો અમે તેના વિરોધમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું.

વકફ સુધારા બિલ અંગે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ(AIMPLB)ના પ્રવક્તા ડૉ. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે કહ્યું, “જો આ બિલ સંસદમાં પસાર થશે, તો અમે તેની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે શાંત બેસીશું નહીં. અમે અમારી પાસે ઉપલબ્ધ તમામ કાનૂની અને બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીશું. જ્યાં સુધી પ્રસ્તાવિત સુધારા પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ આંદોલન કરીશું.”

AIMPLBના પ્રવક્તા ડૉ. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે વકફ સુધારા બિલ પર કહ્યું, “આ બિલ ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિકતાથી પ્રેરિત છે. દુઃખદ છે કે JPCમાં વિપક્ષી સભ્યોના મંતવ્યો પણ ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.”

વક્ફ બિલ દ્વારા સરકાર કોઈપણ ધાર્મિક બાબતમાં દખલ નહીં કરે: રિજિજુ

બીજી તરફ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં કહ્યું કે વકફ બિલ દ્વારા સરકાર કોઈપણ ધર્મના મામલામાં દખલ કરશે નહીં. તેમણે કહ્યું કે આ બિલ ફક્ત મિલકતના સંચાલન સાથે સંબંધિત છે અને તેનો મંદિર, મસ્જિદ કે કોઈપણ ધાર્મિક સ્થળના સંચાલન સાથે કોઈ સંબંધ નથી.

લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યા પછી ચર્ચા દરમિયાન સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ‘વકફ બિલ કોઈપણ ધાર્મિક વ્યવસ્થા, કોઈપણ ધાર્મિક સંસ્થા કે કોઈપણ ધાર્મિક પ્રથામાં કોઈપણ રીતે દખલ કરી રહ્યું નથી.’ તે ફક્ત સંપત્તિ વ્યવસ્થાપનની બાબત છે. જો કોઈ આ મૂળભૂત તફાવતને સમજવામાં નિષ્ફળ જાય અથવા જાણી જોઈને સમજવા માંગતો નથી, તો મારી પાસે તેનો કોઈ ઉકેલ નથી.

આ પણ વાંચોઃ ભારે હોબાળા વચ્ચે વકફ બિલ લોકસભામાં રજૂ, બિલ પર ચર્ચા શરુ | Waqf Amendment Bill

આ પણ વાંચોઃ  અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|

આ પણ વાંચોઃ LOC: પાકિસ્તાની સેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, સેનાએ આપ્યો જવાબ

આ પણ વાંચોઃ Surat: YOUTUBEના નકલી સિલ્વર-ગોલ્ડ પ્લે બટનનો બનાવતો શખ્સ ઝડપાયો

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 3 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 13 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર