‘અમે 214 પાકિસ્તાની લશ્કરી બંધકોને મારી નાખ્યા’, ટ્રેન હાઇજેક કરનારા બલૂચ બળવાખોરોનો મોટો દાવો

  • World
  • March 15, 2025
  • 0 Comments
  • ‘અમે 214 પાકિસ્તાની લશ્કરી બંધકોને મારી નાખ્યા’, ટ્રેન હાઇજેક કરનારા બલૂચ બળવાખોરોનો મોટો દાવો

પાકિસ્તાનની મુસાફરો ભરેલી ટ્રેન અપહરણ કરનારા બલૂચ વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે, તેમણે બધા 214 સૈન્ય બંધકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, કેમ કે બલૂચ રાજકિય કેદીઓને છોડવાનો સોદા માટે તેમને આપેલા 48 કલાકનો સમય ખત્મ થઈ ગયો હતો.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના દાવાને નકારી કાઢ્યો હતો કે બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. BLA એ કહ્યું કે પાકિસ્તાની સરકારની “જીદ” એ તેમને આમ કરવા મજબૂર કર્યા છે. બુધવારે બળવાખોરોએ સરકારને બલૂચ રાજકીય કેદીઓ અને કાર્યકરોને મુક્ત કરવા માટે 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો હતો.

જણાવી દઈએ કે, બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરી રહેલા અલગતાવાદી જૂથ, બલુચ લિબરેશન આર્મીએ મંગળવારે રેલ્વે ટ્રેક ઉડાવીને પેશાવર જતી જાફર એક્સપ્રેસનું હાઇજેક કર્યું હતું. જે સમયે ટ્રેનનું હાઇજેક થયું હતું, તે સમયે ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હાજર હતા. ટ્રેન પર કબજો કર્યા પછી BLA બળવાખોરોએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને જવા દીધા હતા.

BLAએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાને તેની પરંપરાગત જીદ અને લશ્કરી ઘમંડ દર્શાવીને માત્ર ગંભીર વાટાઘાટાને નજરઅંદાજ કરી દીધો અને જમીની વાસ્તવિકતાઓ પ્રત્યે પણ આંખ આડા કાન કર્યા છે. આ જીદના કારણે તમામ 214 બંધકોને મારવામાં આવ્યા.”

ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના સુરક્ષા કર્મચારીઓ હતા. બંધકોને છોડાવવા માટે કાર્યવાહી શરૂ કરનાર પાકિસ્તાની સૈન્યએ જણાવ્યું હતું કે 30 કલાક ચાલેલા ઓપરેશન બાદ બુધવારે આતંકીઓનો સફાયો કરીને ઓપરેશન ખત્મ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ 33 બળવાખોરો માર્યા ગયા હતા. સેનાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં 23 સૈનિકો, ત્રણ રેલ્વે કર્મચારીઓ અને પાંચ મુસાફરો માર્યા ગયા હતા..

બલૂચ બળવાખોરોના દાવાઓ

જોકે, બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના દાવાને નકારી કાઢતા કહ્યું કે ભીષણ લડાઈ ચાલુ છે અને સુરક્ષા દળોને “ભારે નુકસાન” થઈ રહ્યું છે. તેના તાજેતરના નિવેદનમાં BLA એ દાવો કર્યો છે કે દારા-એ-બોલાન નામના ઓપરેશનમાં તેના 12 કર્મચારીઓ માર્યા ગયા હતા.

BLAના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ફિદાયિનોએ (આત્મઘાતી હુમલાખોર- જે બોમ્બ પહેરીને પોતાની જાતને જ ઉડાવી દે છે) કેટલાક બંધક લશ્કરી કર્મચારીઓને ખાસ બોગીઓમાં બંધ કરી દીધા અને તેમની સ્થિતિ સંભાળી લીધી હતી. જ્યારે BLAના અન્ય સૈનિકો બાકીના બંધકોને સલામત સ્થળે ખસેડવામાં સફળ રહ્યા. જ્યારે પાકિસ્તાની કમાન્ડો પહોંચ્યા ત્યારે ફિદાયિનોએ તેમને ઘેરી લીધા અને તેમના પર જોરદાર હુમલો કર્યો. કમાન્ડોને ભારે નુકસાન થયું, જ્યારે બંધકો પણ માર્યા ગયા.”

  • Related Posts

    Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”
    • February 2, 2026

    Donald Trump: “એપસ્ટિન ફાઈલ્સ” આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે એપસ્ટિન એક મોટો ‘દલ્લો’ હતો અને કુમળી વયની 13 કે 14 વર્ષની છોકરીઓ સાથે સંભોગ કરવાની વિકૃતિ…

    Continue reading
    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
    • February 1, 2026

    ● આ એજ ટ્રમ્પ છે કે જેઓ વેનેઝુએલાથી તેલ ખરીદવાનો એક સમયે વિરોધ કરતા હતા પણ હવે તેઓએ અહીંના તેલ ભંડાર ઉપર કબ્જો કર્યા બાદ વિશ્વના દેશો માટે દુકાન ખોલી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

    • February 3, 2026
    • 3 views
    Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

    Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

    • February 3, 2026
    • 5 views
    Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

    Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

    • February 3, 2026
    • 6 views
    Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

    Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

    • February 3, 2026
    • 7 views
    Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    • February 3, 2026
    • 7 views
    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    • February 2, 2026
    • 9 views
    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત