
ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો ધરખમ વધારો થઈ ગયો છે. આ વચ્ચે ભરૂચની એક દસ વર્ષની બાળકી ઉપર કરેલા પિશાંચી કૃત્ય બાદ તેનું મૃત્યું નિપજ્યું છે. તો તેના મૃત્યુંના આંસુઓ પણ સુકાયા નહતા અને ભરૂચમાં જ એક 72 વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે. આમ ગુજરાતમાં બાળકી હોય કે વૃદ્ધા કોઈ સલામત નથી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ થઈ ગઈ છે. બંગાળમાં મેડિકલ વિદ્યાર્થીની ઉપર રેપ થતાં ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને તેમનું રાજીનામું માંગ્યું હતુ તો હવે તેમણે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ. સ્વભાવિક છે કે, રેપ અટકાવી ન શકનાર રાજ્યના સીએમ પાસે રાજીનામું માંગી શકો છો તો પછી તમારે પણ તમારા રાજ્યમાં નિર્દોષ વ્યક્તિનું રેપ પછી મૃત્યું થયા પછી રાજીનામું આપવું જોઈએ.