સૈફ અલી ખાન પર હુમલો કરનાર ક્યાં છુપાયો હતો? સૈફની કેવી છે હાલત?

  • Famous
  • January 16, 2025
  • 1 Comments

સૈફ અલી ખાન પર થયેલા હુમલાને કારણે ચકચાર મચી ગઈ છે. આજે ગુરુવારે રાત્રે ચોરી કરવા આવેલા હુમલાખોરે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. ચોરના આ હુમલામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલમાં સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં સર્જરી હેઠળ છે. હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસ તેને શોધી રહી છે. હવે પ્રશ્ન એ છે કે હુમલાખોર કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ઘરમાં કેવી રીતે ઘૂસ્યો?

સૈફનું ઘર મુંબઈના બાંદ્રામાં આવેલું છે. માહિતી મળી રહી છ કે જે હુમલાખોરે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરનાર શખ્સ નાના દીકરા જહાંગીરના રૂમમાં છુપાયેલો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હુમલાખોર આખી રાત ત્યાં છુપાયો હતો. જહાંગીરની સંભાળ રાખતી નોકરાણીએ હુમલાખોરને સૌથી પહેલા જોયો. જહાંગીરના રૂમમાં નોકરાણીએ હુમલાખોરને જોયો કે તરત જ તે ચીસો પાડવા લાગી. આ પછી ઘરના અન્ય લોકો જાગી ગયા. સૈફ અલી ખાન દોડતો આવ્યો અને હુમલાખોર સાથે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં હુમલાખોરે તેના પર ઉપરાછાપરી 6 ચાકુના ઘા ઝીંકી દીધા હતા.

હાલમાં સૈફ અલી ખાન ખતરામાંથી બહાર છે. સૈફની પત્ની કરીના કપૂર ખાન, પુત્રી સારા અલી ખાન, પુત્ર ઇબ્રાહિમ પણ હોસ્પિટલમાં હાજર છે. પોલીસે જણાવ્યું કે ચોર સૈફ અલી ખાનના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યો હતો. તે એકલો હતો. તેણે જ સૈફ અલી ખાન પર છ વાર છરી વડે હુમલો કર્યો હતો. સૈફના હાથ, ગરદન અને પીઠ પર ઈજાના નિશાન છે. આ ઘટના રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી.

સૈફના સ્વાસ્થ્ય અપડેટ શું છે?

લીલાવતી હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર છ વખત હુમલો થયો હતો. આમાંથી બે ઘા ઊંડા છે જે પાછળના ભાગમાં છે. લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડૉ. નીરજ ઉત્માનીએ જણાવ્યું કે સૈફને સવારે 3:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈન અને એનેસ્થેટોલોજીસ્ટ ડૉ. નિશા ગાંધીના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ તેમના પર ઓપરેશન કરી રહી છે. ઓપરેશન હાલ પૂર્ણ થવાના આરે છે.

 

આ પણ વાંચોોઃ બાંગ્લાદેશી યુવક ભારતીય ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો સાથે ઝડપાયો!

Related Posts

પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
  • October 25, 2025

Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

Continue reading
જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
  • October 24, 2025

 Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!V

  • October 28, 2025
  • 2 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!V

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 9 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 14 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 8 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 21 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 8 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી