અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?

  • અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?

ટ્રમ્પ ભારત પર રેસિપ્રોક્લ ટેરિફ ન લાદે તે માટે પીએમ મોદીએ વ્યાપાર મંત્રી પિયુષ ગોયલને અમેરિકા મોકલ્યા હતા. પરંતુ મોદી સરકારના મંત્રીને અમેરિકામાં કોઈ નેતા મળવા માટે જ તૈયાર નહતો. આમ પિયુષ ગોયલ અમેરિકામાં હતા, તે દરમિયાન જ અમેરિકાએ ભારત પર 2 એપ્રિલથી ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી હતી.

મોદી સરકાર માટે શરમજનક વાત છે કે, પિયૂષ ગોયલ છેલ્લા ત્રણ દિવસથી અમેરિકામાં હોવા છતાં કોઈ અમેરિકન સરકારમાં કોઈ ટોચના હોદ્દેદારને મળી શક્યા નથી. ગોયલ અમેરિકાના સેક્રેટરી ઓફ કોમર્સ એટલે કે વ્યાપાર મંત્રી હાવર્ડ લ્યુટિનકવે મળવા માટે ત્રણ દિવસથી ફાંફાં મારી રહ્યા છે પણ લ્યુટનિકે ગોયલને મળવા માટે એપોઈન્ટમેન્ટ સુધ્ધાં નહીં આપી હોવાનું વિશ્વસનિય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગોયલ હોવર્ડ લુટનિક ઉપરાંત યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (UTR) જેમીસન ગ્રીરને મળવાના છે પણ હજુ સુધી ગ્રીર સાથે પણ મુલાકાત શક્ય નથી થઈ.

લ્યુટનિકે રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે જ જોતા હોવાથી આ અંગે પોતે કશું નહીં કરી શકે એવું કહીને હાથ ખંખેરી નાંખ્યા હોવાનું વિશ્વસનિય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, લ્યુટનિકે ગોયલને એ પણ મેસેજ મોકલી દીધો છે કે, રેસિપ્રોકલ ટેરિફને ટાળવા માટે ભારત શું કરી શકે છે તેની દરખાસ્ત સીધી વ્હાઈટ હાઉસને મોકલવાની રહેશે અને અમેરિકન કોમર્સ મિનિસ્ટ્રીની કોઈ ભૂમિકા નથી. રેસિપ્રોકલ ટેરિફના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં હોવાથી લ્યુટનિક સહિતના અધિકારીઓ ચિત્રમાં આવવા પણ તૈયાર નથી.

ગોયલ 3 માર્ચે ભારતથી અમેરિકા જવા રવાના થયા હતા અને 8 માર્ચ સુધી અમેરિકામાં રોકાવાના છે પણ અમેરિકાનું વલણ જોતાં ટ્રમ્પ સરકારમાં કોઈ ટોચના મંત્રીને મળીને કશું કરી શકે એવી શક્યતા દેખાતી નથી. ગોયલ પાસે કોઈ નક્કર પ્લાન નથી તેથી અમેરિકામાં કોઈ તેમને સમય આપે એવી શક્યતા ઓછી છે.

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના અહેવાલ મુજબ અમેરિકા દ્વારા પારસ્પરિક ટેરિફ અમલમાં આવશે તો 2025-26ના નાણાકીય વર્ષમાં ભારતની અમેરિકામાં નિકાસ 2 અબજ ડોલરથી 7 અબજ ડોલરની વચ્ચે ઘટી શકે છે. કાપડ, રસાયણો (ફાર્માસ્યુટિકલ્સ સહિત), નિકાસ-લક્ષી ઘરેણાં અને રત્નો, ઓટો ઘટકો અને ઇલેક્ટ્રોનિક્સની નિકાસને સૌથી મોટો ફટકો પડશે જ્યારે શાકભાજી, માંસ, માછલી વગેરે સહિતના ખાદ્ય ઉત્પાદનો અને ફૂટવેરને ઓછો ફટકો પડશે કેમ કે અમેરિકામાં આ ઉત્પાદનોની મોટા પ્રમાણમાં નિકાસ થતી નથી.

આ પણ વાંચો-Ahmedabad: વાસણા કેનાલમાં સ્ક્રોર્પિયો કાર ખાબકી, 3થી 4 લોકો તણાયા, જુઓ વિડિયો

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

  • June 16, 2025
  • 0 views
Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  • June 16, 2025
  • 3 views
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 4 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 6 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 6 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા