Narendra Modi: સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અતુલ પ્રધાને ભાજપ નેતા સંગીત સોમ પર માંસના વેપારમાં સંડોવણીનો ગંભીર આરોપ લગાવ્યો છે.અતુલ પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે ભાજપના નેતા સંગીત સોમ હિન્દુ મુસ્લિમ કરી હિન્દુત્વની વાતો કરે છે પણ તેઓ અને તેમનો પરિવાર માંસ અને માછલી સપ્લાય કરતી લગભગ 12 થી 15 કંપનીઓમાં ડિરેક્ટર રહ્યા છે.અતુલ પ્રધાને કેટલાક પુરાવા રજૂ કરી કહ્યું કે તેઓ પુરાવા સાથે વાત કરે છે અને જો ખોટું હોયતો પોતાની સામે તેઓ માનહાનીનો દાવો કરી શકે છે.
અતુલ પ્રધાને અલીગઢ ખાતેની અલ-દુઆ ફૂડ પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ અને અલ-અનમ એગ્રો ફૂડ્સનો ઉલ્લેખ કર્યો હતો, જે ભારતના અગ્રણી હલાલ માંસ નિકાસકારો માનવામાં આવે છે તેનું નામ લઈ સંગીત સોમ તેમાં ભાગીદાર હોવાની વાત કરી હતી.અતુલ પ્રધાને કહ્યું કે આ કંપનીઓનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે,જે સંગીત સોમની સંડોવણીની પુષ્ટિ કરે છે. જૂના દસ્તાવેજો અનુસાર, સોમ 2005 થી 2008 સુધી અલ-દુઆના ડિરેક્ટર હતા.
અતુલ પ્રધાને સોમની મિલકતોની CBI તપાસની માંગ કરી છે અને તેમને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે.જોકે,સંગીત સોમે આ આરોપોને “રાજકીય ષડયંત્ર” ગણાવીને નકારી કાઢ્યા હતા તેમણે અગાઉ સ્પષ્ટતા કરી હતીકે તેમણે ફક્ત જમીન ખરીદી હતી અને કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયાની તેમને ખબર નહી હોવાનું જણાવ્યું હતું.મહત્વનું છે કે આ બંને નેતાઓ વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં સરધના બેઠક પર અતુલ પ્રધાને સંગીત સોમને હરાવ્યા હતા.સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે કરેલી વિસ્તૃત છણાવટ જુઓ પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









