
Yogi Government: ઉત્તર પ્રદેશમાં હવે રાજકીય નેતાઓની કોઈ કિંમત રહી નથી અને અધિકારીઓ માત્ર યોગીજીનો જ આદેશ માનતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે, યુપીના સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ અને કન્નૌજ જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે તાજેતરમાં પ્રોટોકોલના ઉલ્લંઘનને લઈને વિવાદ સર્જાયો છે.
વાત જાણે એમ છે કે કન્નૌજમાં આયોજિત એક સરકારી કાર્યક્રમમાં મંત્રી અસીમ અરુણ મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું જેથી તેઓ તે દિવસે નિર્ધારિત સમયે સાંજે 5:15 વાગ્યે સ્થળ ઉપર પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં તેમનું સ્વાગત કરવા કોઈ વરિષ્ઠ અધિકારી હાજર નહોતા.
મંત્રીએ કલેક્ટર (DM) અને અન્ય અધિકારીઓની અંદાજે 45 મિનિટ સુધી રાહ જોઈ હતી. સ્ટેજ પરથી વારંવાર જાહેરાત કરવામાં આવતી હતી કે કાર્યક્રમ DM સાહેબ આવ્યા પછી જ શરૂ થશે જોકે, અધિકારીઓની ગેરહાજરી અને વિલંબથી નારાજ થઈને અસીમ અરુણ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા.
આ ઘટના બાદ તેમણે કન્નૌજ જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ મોહન અગ્નિહોત્રીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું કે આ અનુભવ શિષ્ટાચાર અને સમયબદ્ધતાથી તદ્દન વિપરીત હતો અને વહીવટી અધિકારીઓને શિસ્ત જાળવવાની સલાહ આપી હતી.
આ ઘટનાના વિરોધમાં બીજા દિવસે ભાજપના કાર્યકરોએ રસ્તા પર ઉતરીને જિલ્લા વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અધિકારીઓને હટાવવાની માંગ કરી હતી, આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે વહીવટી તંત્ર (અફસરશાહી) મંત્રીના પ્રોટોકોલને ગંભીરતાથી લઈ રહ્યું નથી.
આ મુદ્દા ઉપર સ્થાનિક પત્રકાર શિવકુમાર મિશ્રાએ વિસ્તુત છણાવટ કરી વધુ વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








