
તાજેતરમાં રાજકોટના વીંછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબિંગની ફરિયાદની અદાવતમાં એક યુવાનની હત્યા થઈ ગઈ હતી. જેમાં હત્યા બાદ પરિવાજનો સહિત કોળી સમાજ, ગ્રામજનોમાં ભારે રોષ ભભૂક્યો હતો. એક દિવસ વીંછિયા બંધ રખાયું હતુ. ત્યારે આજે એવી વાત વહેતી થઈ હતી કે ઝડપાયેલા 6 આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જેથી વીંછિયા પોલીસ સ્ટેશન તરફ લોકોના ધાડેધાડા પહોંચ્યા હતા. બેકાબૂ બનેલી ભીડ પોલીસથી પણ કાબૂમાં રહી ન હતી. જેથી ન છૂટકે પોલીસને ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. હકીકતમાં આરોપીઓેને રિકન્ટ્રકશન માટે લઈ જવાયા હતા.
આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ બની હતી. જેથી પોલીસે ટિયર ગેસ છોડી લોકોના ટોળાઓને વિખેર્યા હતા. ટોળાઓને વિખવા માટે આજુબાજુના વિસ્તારોની પોલીસને પણ બોલાવવી પડી હતી. આ ઘટના બાદ વીંછિયામાં તંગદિલીભર્યું વાતાવરણ છે. હત્યા મામલે લોકોમાં રોષ છે. આ ઘટનામાં એક મહિલા પોલીસકર્મીને ઈજાઓ પહોંચી છે.
આ સમાચાર પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત-અમેરિકા પરમાણુ કરાર પર કરી મહત્વપૂર્ણ જાહેરાત
શું છે સમગ્ર મામલો
30 જાન્યુઆરીના રોજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મામલે વીંછિયાના થોરીયાળીના ઘનશ્યામ રાજપરા પર કેટલાક ઈસમોએ કુહાડી અને લાકડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ તેમને વીંછિયા અને ત્યાર પછી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો, ત્યારે આ મામલે પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજે પોલીસ દ્વારા આજે 6 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકોના ટોળેટોળા ધસી આવ્યા હતા.
આ સમાચાર વાંચોઃ KATCH: બોરવેલમાં પડેલી યુવતી 490 ફૂટ ઊંડે હોવાનું કેમેરામાં કેદ, યુવતી જીવિત કે મૃત?