
- યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ જણાવ્યું કેમ આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી ગઈ
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટી જીત મળી છે. આ સ્ટોરી લખાય છે ત્યાર સુધીમાં બીજેપીને 30 સીટો પર જીત મળી ચૂકી હતી તો 18 સીટો પર આગળ ચાલી રહી હતી. આ વચ્ચે જાણિતા યુ-ટ્યુબર ધ્રુવ રાઠીએ આમ આદમી પાર્ટીને મળેલી હારને લઈને સોશિયલ મીડિયા એક્સ પર પોતાની વાત મૂકી છે.
ધ્રુવ રાઠીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, AAP હારી ગઈ કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હીમાં કોઈ કામ થઈ રહ્યું નથી. અને તેનું કારણ એ છે કે ભાજપે સરકારના સમગ્ર કાર્યને અટકાવવા માટે શક્ય તેટલું બધું કર્યું. LGનો ઉપયોગ કરીને આદેશો અટકાવવાથી લઈને, તેમની એજન્સીઓ દ્વારા નેતાઓને ખોટા કેસોમાં જેલમાં નાખવાથી લઈને નવા કાયદા પસાર કરવા સુધી. 2023 ના GNCTD એક્ટથી, દિલ્હી પર પહેલાથી જ પરોક્ષ રીતે ભાજપનું શાસન છે.
વધુમાં તેમણે લખ્યું કે, “એ સારું છે કે દિલ્હીના લોકો હવે સીધા જોઈ શકે છે કે તેમની બધી સમસ્યાઓ માટે ખરેખર કોણ જવાબદાર છે.”
AAP lost because no work was being done in Delhi since last few years
And that is because BJP did everything possible to stall the whole functioning of the government. From using LG to halt orders, to their agencies jailing leaders under fake cases to passing new laws. Ever…
— Dhruv Rathee (@dhruv_rathee) February 8, 2025
ધ્રુવ રાઠીએ પોતાના ટ્વિટમાં બીજેપી પર બ્રેઈનવોશ કરવાને લઈને કહ્યું કે, “એકમાત્ર પ્રશ્ન એ છે કે શું લોકો આગામી વર્ષોમાં વાયુ પ્રદૂષણ, યમુના પ્રદૂષણ, ભાંગી પડેલા માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતાના મુદ્દાઓ વિશે વાત કરવાનું ચાલુ રાખશે. અથવા શું ભાજપ ધાર્મિક દ્વેષના નામે આ બધું અવગણવા માટે લોકોને બ્રેઈનવોશ કરવામાં અને દબાવવામાં સફળ થશે જેમ કે તેઓએ અન્ય ઘણા રાજ્યોમાં કર્યું છે.”
આ પણ વાંચો- કુમાર વિશ્વાસની કેજરીવાલની આકરી ટીકા; સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો