
રશિયા-યુક્રેન યુદ્ધમાં કેરળના ત્રિશૂરના નાગરિક 32 વર્ષિય બિનીલ બાબુના મૃત્યુ થયું છે. આ અંગે રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મંત્રાલયે પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ખાતરી આપી કે ભારતીય દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. જેથી મૃતક ભારતીયોના પાર્થિવ દેહને વહેલી તકે ભારત પરત મોકલી શકાય. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે, જ્યારે 16 ગુમ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “બિનીલ બાબુનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. જેથી તેમના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત મોકલી શકાય.” ઘાયલ થયેલા બીજા વ્યક્તિની મોસ્કોમાં સારવાર ચાલી રહી છે. તેમની સારવાર પૂર્ણ કર્યા પછી તેઓ પણ ટૂંક સમયમાં ભારત પાછા ફરે તેવી અપેક્ષા છે. 17 જાન્યુઆરી સુધી 126 નાગરિકો (રશિયન સેનામાં સેવા આપતા ભારતીય નાગરિકો) નોંધાયા છે. આ 126 કેસોમાંથી 96 લોકો ભારત પાછા ફર્યા છે, તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી રજા આપવામાં આવી છે.
12 ભારતીયોએ જીવ ગુમાવ્યા
રણધીર જયસ્વાલે કહ્યું, “રશિયન સેનામાં 18 ભારતીય નાગરિકો છે અને તેમાંથી 16 ગુમ છે. જ્યારે રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે.” વધુમાં જણાવ્યું હતું કે, “અમને રશિયન સેનામાં સેવા આપતા કુલ 126 ભારતીય નાગરિકો છે અને તેમાંથી 96 નાગરિકો ભારત પરત ફર્યા છે. તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી છૂટા કરવામાં આવ્યા છે. 18 ભારતીય નાગરિકો હજુ પણ યુદ્ધમાં છે. આમાંથી 16 વ્યક્તિઓનો કોઈ પત્તો લાગ્યો નથી. તેમને રશિયન અધિકારીઓ દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ARAVALLI: સોડા પીતા પહેલા જ મરેલો મકડો નીકળ્યો, ગ્રાહકે શું કરી માંગ?