
Ahmedabad| ખોખરામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિનાને નુકસાન કરવા બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરી છે. જો કે હજુ પણ 3 શખ્સો ફરાર હોવનું જાણવા મળી રહ્યું છે. ઝડપાયેલા શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ છે.
બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર અંગેની ટીપ્પણીને લઇ સંસદમાં ભારે હંગામા પછી દેશભરમાં અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શનો અને રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે એવા સમયે કેટલાક ચોક્કસ તત્વોએ અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાને લઈ આજે સમગ્ર ખોખરામાં બંધનું એલાન અપવામાં આવ્યું હતુ.
ત્યારે આજે 100થી વધુના ટોળાએ વિસ્તારના મોલ અને દુકાન બંધ કરાવી છે. સાથે જ આંબેડરની પ્રતિમા ખંડિત કરવા મામલે આરોપીને ઝડપી પાડવા માગ કરી છે. સાથે જ અહીં જ બીજી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેવી પણ માગ કરાી છે. ત્યારે આજે બે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે 3 ફરાર આરોપીને પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અસલાલીથી ઓરોપીને પકડ્યા, હજુ ત્રણ ફરાર
આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરને દબોચી લીધા છે. જ્યારે ત્રણ આરોપી મુકેશ ઠાકોર,ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી ફરાર છે. તેમને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરાઈ છે.