અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?

  • અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?

ટ્રમ્પ ભારત પર રેસિપ્રોક્લ ટેરિફ ન લાદે તે માટે પીએમ મોદીએ વ્યાપાર મંત્રી પિયુષ ગોયલને અમેરિકા મોકલ્યા હતા. પરંતુ મોદી સરકારના મંત્રીને અમેરિકામાં કોઈ નેતા મળવા માટે જ તૈયાર નહતો. આમ પિયુષ ગોયલ અમેરિકામાં હતા, તે દરમિયાન જ અમેરિકાએ ભારત પર 2 એપ્રિલથી ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી હતી.

મોદી સરકાર માટે શરમજનક વાત છે કે, પિયૂષ ગોયલ છેલ્લા ત્રણ દિવસથી અમેરિકામાં હોવા છતાં કોઈ અમેરિકન સરકારમાં કોઈ ટોચના હોદ્દેદારને મળી શક્યા નથી. ગોયલ અમેરિકાના સેક્રેટરી ઓફ કોમર્સ એટલે કે વ્યાપાર મંત્રી હાવર્ડ લ્યુટિનકવે મળવા માટે ત્રણ દિવસથી ફાંફાં મારી રહ્યા છે પણ લ્યુટનિકે ગોયલને મળવા માટે એપોઈન્ટમેન્ટ સુધ્ધાં નહીં આપી હોવાનું વિશ્વસનિય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગોયલ હોવર્ડ લુટનિક ઉપરાંત યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (UTR) જેમીસન ગ્રીરને મળવાના છે પણ હજુ સુધી ગ્રીર સાથે પણ મુલાકાત શક્ય નથી થઈ.

લ્યુટનિકે રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે જ જોતા હોવાથી આ અંગે પોતે કશું નહીં કરી શકે એવું કહીને હાથ ખંખેરી નાંખ્યા હોવાનું વિશ્વસનિય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, લ્યુટનિકે ગોયલને એ પણ મેસેજ મોકલી દીધો છે કે, રેસિપ્રોકલ ટેરિફને ટાળવા માટે ભારત શું કરી શકે છે તેની દરખાસ્ત સીધી વ્હાઈટ હાઉસને મોકલવાની રહેશે અને અમેરિકન કોમર્સ મિનિસ્ટ્રીની કોઈ ભૂમિકા નથી. રેસિપ્રોકલ ટેરિફના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક મૂડમાં હોવાથી લ્યુટનિક સહિતના અધિકારીઓ ચિત્રમાં આવવા પણ તૈયાર નથી.

ગોયલ 3 માર્ચે ભારતથી અમેરિકા જવા રવાના થયા હતા અને 8 માર્ચ સુધી અમેરિકામાં રોકાવાના છે પણ અમેરિકાનું વલણ જોતાં ટ્રમ્પ સરકારમાં કોઈ ટોચના મંત્રીને મળીને કશું કરી શકે એવી શક્યતા દેખાતી નથી. ગોયલ પાસે કોઈ નક્કર પ્લાન નથી તેથી અમેરિકામાં કોઈ તેમને સમય આપે એવી શક્યતા ઓછી છે.

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના અહેવાલ મુજબ અમેરિકા દ્વારા પારસ્પરિક ટેરિફ અમલમાં આવશે તો 2025-26ના નાણાકીય વર્ષમાં ભારતની અમેરિકામાં નિકાસ 2 અબજ ડોલરથી 7 અબજ ડોલરની વચ્ચે ઘટી શકે છે. કાપડ, રસાયણો (ફાર્માસ્યુટિકલ્સ સહિત), નિકાસ-લક્ષી ઘરેણાં અને રત્નો, ઓટો ઘટકો અને ઇલેક્ટ્રોનિક્સની નિકાસને સૌથી મોટો ફટકો પડશે જ્યારે શાકભાજી, માંસ, માછલી વગેરે સહિતના ખાદ્ય ઉત્પાદનો અને ફૂટવેરને ઓછો ફટકો પડશે કેમ કે અમેરિકામાં આ ઉત્પાદનોની મોટા પ્રમાણમાં નિકાસ થતી નથી.

આ પણ વાંચો-Ahmedabad: વાસણા કેનાલમાં સ્ક્રોર્પિયો કાર ખાબકી, 3થી 4 લોકો તણાયા, જુઓ વિડિયો

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી