Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?

Gir Somanath News:  હાલ ચર્ચામાં રહેતાં  ભાજપ નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ પોતે કરેલા દબાણો દૂર કરવા ગીર સોમનાથમાં જેસબી, ટ્રેક્ટર સહિતના વાહનો લઈને પહોંચ્યા છે. ત્યારે સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. દિનુ સોલંકી વિરુધ્ધ વારંવાર ગેરકાયદેસરના દબાણો હટાવવાની ફરિયાદો અને આવેદનો અપાયા છે. દિનુ સોલંકી અને કલેક્ટર વચ્ચે પણ ઘણા સમયથી રસ્સાકસી થઈ રહી છે. દિનુ સોલંકી પર ખાણ-ખનિજની જમીનો પર દબાણ કર્યાના આરોપ છે.

ત્યારે દિનુ સોલંકીએ ખાણ ખનીજોની જમીનો પર કરેલા દબાણો દૂર કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  સવાલ એ છે કે હવે દબાણ કેમ દૂર કરવા લગ્યા?  શું આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે એટલે?. અમિત શાહ એવી છાપ ધરાવે છે કે તે કોઈની શરમ રાખ્યા વગર કામ કરે છે. ત્યારે હવે ગીર સોમનાથમાં પૂર્વ સાંસદે દબાણો દૂર  કરવા કામ ચાલુ કર્યુ છે.

ગીર સોનાથની કેન્દ્રિય ગૃહ મંત્રી મુલાકાત લેવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન શાહ જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

દિનુ સોલંકીએ દબાણો કર્યાનો લાગ્યા હતા આરોપ

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. પૂર્વ સાંસદ  દિન સોલંકી અને કલેક્ટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દબાણોને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

ભાજપના માનિતા પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથમાં દબાણ દૂર કરી પ્રિય બનેલા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદ ચાલી રહ્યો છે. દબાણ હટાવવાને લઇને ગરમાયેલો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. સનાતન હિન્દુ સમાજ દ્વારા સીએમ અને ગૃહમંત્રીને મામલતદારના માધ્યમથી આ આવેદન આપવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે બીજી બાજુ દિનુ સોલંકી દબાણો દૂર કરવાના કામે લાગ્યા છે. જો કે આ દબાણો દેખાડા પૂરતાં  હશે કે કાયમી હટાવશે એ પણ એક સવાલ છે. બીજા કઈ કઈ જગ્યાએ દબાણો કર્યા છે તે પણ તપાસનો વિષય છે. ત્યારે હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ બાદ સોમનાથમાં દબાણોની શું સ્થિતિ હશે તે જોવું રહ્યું!

દિનુ બોઘાએ ગીર સોમનાથમાં કલેક્ટર પર ભ્રષ્ટ્રાચારના આરોપ મૂક્યા હતા

અગાઉ દીનુ બોઘા સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી તપાસની માગ કરી હતી. ત્યારથી પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કલેક્ટર વચ્ચે વિવાદ ચાલે છે.

આ પણ વાંચોઃ Gujarat: 26 તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની તાત્કાલિક બદલીના આદેશ

આ પણ વાંચોઃ PM MODI: સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબ ક્યાથી મળ્યા?

આ પણ વાંચોઃ IAF Plane Crash: હરિયાણામાં વાયુસેનાનું પ્લેન જગુઆર ક્રેશ, આ રીતે પાયલોટનો બચાવ્યો જીવ?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

Related Posts

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!
  • May 13, 2026

Rajkot Volvo Car Accident: રાજકોટના સૌથી ધમધમતા વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ફરી એકવાર ધનાઢ્ય નબીરાની બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. એક કાળા કલરની લક્ઝરીયસ વોલ્વો…

Continue reading
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના
  • May 13, 2026

Russia India Oil: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉર્જા ખરીદીના મુદ્દે ભારત પર દબાણ લાવવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોની આકરી ટીકા કરી છે. મોસ્કોમાં RT ઈન્ડિયાને આપેલા એક વિશેષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 4 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 7 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 11 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

  • May 13, 2026
  • 6 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના