ભારત Vs ન્યૂઝીલેન્ડ ફાઈનલ પહેલા રોહિત-કોહલી અને ગંભીરની મીટિંગ બની ચર્ચાનો વિષય; જાણો શું છે મુદ્દો

  • Sports
  • March 9, 2025
  • 0 Comments
  • ભારત Vs ન્યૂઝીલેન્ડ ફાઈનલ પહેલા રોહિત-કોહલી અને ગંભીરની મીટિંગ બની ચર્ચાનો વિષય; જાણો શું છે મુદ્દો

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ શરૂ થવા જઈ રહી છે. જો કે, આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન સહિત કોચ અને વિરાટ કોહલીની એક બેઠક બધાની નજરોમાં ચઢી છે. આ બેઠકને લઈને તર્ક વિતર્ક પણ કરવામાં આવી રહ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દુબઈમાં રમાવા જઈ રહી છે.

ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ એકબીજા સામે ફરીથી ટકરાશે. કારણ કે અગાઉ ભારતે આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાતા પહેલા ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. મેચ દરમિયાન પરિસ્થિતિ બદલાય તો યોજના કેવી રીતે બદલવી તે અંગે ચર્ચા થઈ હતી. આ ત્રણેય ખેલાડીઓ રવિવારે દુબઈમાં યોજાનારી ફાઈનલ મેચ માટે ઉપયોગમાં લેવાતી પિચ પાસે ઊંડી ચર્ચા કરી હતી.

ભારત દુબઈની પરિસ્થિતિથી સારી રીતે પરિચિત છે કારણ કે, તેણે ટુર્નામેન્ટની તમામ મેચો અહીં રમી છે. પિચ પૂર્વ ચેમ્પિયન્સ માટે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે શનિવારે ભારતના નેટ સેશન શરૂ થાય તે પહેલાં ત્રણેય ખેલાડીઓએ લગભગ 20 મિનિટ સુધી સિક્રેટ મીટિંગ કરી હતી.

ગંભીર અને રોહિતે પહેલા લગભગ 10 મિનિટ સુધી વાત કરી ત્યારબાદ ભારતીય કેપ્ટને ફૂટ-વોલી રમી રહેલા કોહલીને તેમની સાથે જોડાવા કહ્યું. આ મીટિંગમાં મેચ દરમિયાન પરિસ્થિતિ બદલાઈ તો યોજનાઓમાં કેવી રીતે ફેરફાર કરવામાં આવશે તે અંગે ચર્ચા થઈ હશે તેવી માહિતી મળી રહી છે. મેચ દરમિયાન મિડલ ઓવરોમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો પર દબાણ લાવીને વિકેટ કેવી રીતે લેવી તે અંગે પણ ચર્ચા થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

અત્યાર સુધી દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચો માટે ઉપયોગમાં લેવાતી પિચો ધીમી અને સ્પિનરો માટે વધુ અનુકૂળ રહી છે. જોકે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ સેમિફાઈનલ માટે ઉપયોગમાં લેવાયેલી નવી પિચને કારણે તે કેવી રીતે રમાઈ તે અંગે થોડી મૂંઝવણ ઊભી થઈ છે. જોકે,જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ-તેમ બેટિંગ માટે સ્થિતિ વધુ સારી થતી ગઈ. આ ઉપરાંત ટુર્નામેન્ટની શરૂઆતમાં દુબઈ ઠંડુ હતું પરંતુ આ અઠવાડિયે તે ગરમ થઈ ગયું છે.

આ પણ વાંચો- GST પર મળશે મોટી રાહત! નાણામંત્રી સીતારણે આપ્યા સંકેત; જાણો શું છે સરકારનો પ્લાન

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

  • August 5, 2026
  • 3 views
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 6 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 13 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા