Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

  • Gujarat
  • March 16, 2025
  • 5 Comments

Ahmedabad  priest Sucide News: અમદાવાદના નરોડા વિસ્તારના કુબેરનગર મંદિરના પૂજારીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે. મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે. પૂજારીએ આપઘાત કરતા પહેલા  સુસાઈડ નોટ લખી હતી. બિલ્ડરો અને પોલીસના ત્રાસથી  આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા છે.   હવે તટસ્થ તપાસ થાય તેવી પૂજારીના પરિવારે માગ કરી છે.

મંદિર પરિસરમાં ગળાફાંસો 

કુબેરનગરમાં આવેલા સંતોષી માતાના મંદિરના મંદિરના પૂજારી મહેન્દ્ર માણીકરે (ઉં.વ.63)એ આજે વહેલી સવારે(16 માર્ચ ) આપઘાત કરી લીધો છે. મૃતક પૂજારીના પુત્ર બ્રિજેશભાઈએ આક્ષેપો કરતાં કહ્યું છે કે મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો ધમકીઓ આપતાં હતા. એટલું જ નહીં બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અમુક અધિકારીઓ તેમજ પોલીસ પણ હેરાન કરતા હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જોકે હવે પોલીસ યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માગ કરાઈ છે.

પૂજારીના પુત્રએ વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિર અંગે કોર્ટમાં કેસ ચાલે છે. જો કે તેમ છતાં બિલ્ડરો ત્રાસ આપી જગ્યા ખાલી કરવવા ટોર્ચર કરતાં હતા. આ મંદિર તોડીને અહીં આવાસ યોજના બનાવવામાં આવવાની હતી. ગઇકાલે પણ બધાને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, તમારી પાસે એક અઠવાડિયું છે. આ જગ્યા હવે ખાલી કરી દો. અમારી માત્ર એટલી માગ છે કે, મારા પિતાએ મંદિર બચાવવા માટે આ પગલું ભર્યું છે.

એક રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, હું નરોડાનો જ રહેવાસી છું. મંદિરની નજીક જ મારું નિવાસ્થાન છે. નરોડાવાસીઓ માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર 1972 પહેલાનું છે. મૃતક અહીં મહંત હતા અને તેમના પિતાએ પણ અહીં પૂજા અને સેવા આપી હતી. તેમનું સમાધિ સ્થળ પણ અહીં હયાત છે. અમે ઇચ્છીએ છીએ કે આ મંદિર યથાવત રહે. આ મંદિર કોઇને નડતરરૂપ પણ નથી. બહુ જૂનું મંદિર હોવાથી તેને હટાવવામાં ન આવે તેવી અમારી માગ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પને રિપોર્ટરનું માઈક મોં પર વાગ્યુ, ભ્રકુટીઓ ઉચી કરી શું કહ્યું? |Donald Trump News

આ પણ વાંચોઃ Anand: તબેલામાં શોર્ટ સર્કિટ, 3 પશુના મોત, આંકલાવમાં બની ઘટના

આ પણ વાંચોઃ Earthquake: કચ્છના ભચાઉમાં ફરી ભૂકંપ, 3.4 ની તીવ્રતાનો આંચકો

Related Posts

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading

You Missed

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 3 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 5 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 19 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 19 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 26 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 16 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ