
રાજ્યના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજળીમાં ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવી છે.
ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કર્યો છે. ઓકટોબરથી ડીસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. 2.85 થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસુલાત કરવામાં આવશે.
ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડીસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ 1120 કરોડનો લાભ થશે.
વધુમાં, જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફયુલ સરચાર્જના ઘટાડાને કારણે અંદાજે રૂ 46 ની માસિક બચત થશે.