
એક તરફ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે તો બીજી તરફ સંધ્યા થિયેટરમાં થયેલી નાસમાં મહિલાના મોત મામલે અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી છે. આજે તેને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોતી વખતે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર પણ હોસ્પિટલમાં દાખલ છે. આ કેસમાં અભિનેતાને 23 ડિસેમ્બરે પોલીસ તરફથી નોટિસ મળી હતી, ત્યારબાદ તે આજે 24 ડિસેમ્બરે પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
સાડા ત્રણ કલાક કરાઈ પૂછપરછ
પોલીસે આ કેસમાં અભિનેતાની પૂછપરછ કરી છે. પોલીસે અલ્લુ અર્જુનની લગભગ સાડા ત્રણ કલાક પૂછપરછ કરી. અલ્લુ અર્જુને પૂછેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. પૂછપરછ પૂરી થયા બાદ પોલીસનું કહેવું છે કે અલ્લુને ફરીથી બોલાવવામાં આવી શકે છે. પોલીસે કહ્યું કે જો જરૂર પડશે તો પૂછપરછ માટે ફરીથી આવવું પડી શકે છે. અલ્લુ અર્જુને પણ પોલીસ સાથે સહમતિ દર્શાવી છે અને કહ્યું છે કે જો તેને ફરીથી બોલાવવામાં આવશે તો તે તેનો સંપૂર્ણ સહયોગ આપશે.
અભિનેતાએ માફી માંગી
અલ્લુ અર્જુનની પુષ્પા 2 ની રિલીઝના એક દિવસ પહેલા સંધ્યા થિયેટર્સમાં પ્રીમિયર યોજાયો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન પણ તેના પરિવાર સાથે ફિલ્મ જોવા માટે ત્યાં પહોંચ્યો હતો. પુષ્પા 2 ફિલ્મ બનાવવામાં તેને 3 વર્ષ લાગ્યાં. જોકે તેણે આ ફિલ્મ જોઈ ન હતી અને તે તેના પરિવાર સાથે જોવા માંગતો હતો. અને તેથી જ તેણે સંધ્યા થિયેટર પસંદ કર્યું. પરંતુ તેને ખ્યાલ નહોતો કે ત્યાં આવી નાસભાગ મચી જશે અને આ કમનસીબે મહિલાનું મતો થશે.
હવે આ મામલે અભિનેતાએ હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ કરી તમામની માફી માંગી હતી. હવે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓ પણ સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ મૃતક મહિલાના પુત્રને આર્થિક મદદ કરીછે.