Gandhinagar: આરોગ્યકર્મીઓ હડતાળ સમેટે તો ચર્ચા કરીશુંઃ આરોગ્યમંત્રી, 2200 કર્મીઓ સસ્પેન્ડ

Gandhinagar: 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ અડગ છે. બીજી બાજુ સરકાર પણ અડગ રહી છે. 2200 જેટલાં આરોગ્યકર્મીઓને નોકરીમાંથી કાઢી નાખ્યા છે.

Gandhinagar: આરોગ્યકર્મીની હડતાળને આજે 12 દિવસ થઈ ગયા છે. તેઓ ગાંધીનગરમાં પોતાનો હક લઈને જ જંપવાની વાત કરે છે. સરકારે અત્યાર સુધી 2100થી વધુ આરોગ્યકર્મીઓને છૂટા કરી દીધી છે. જ્યારે 5 હજારથી વધુને કારણ દર્શક નોટીસ ફટકારી છે. ખાતાકીય તપાસ પણ કરવા સરકાર જોર લગાવી રહી છે અને આરોગ્યકર્મીઓને ફરજ પર પરત ફરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે જુલમી સરકારની આ કાર્યવાહીની આરોગ્યકર્મીઓ પર કોઈ અસર દેખાતી નથી. તેઓ પોતાની માગોને લઈ અડગ જોવા મળી રહ્યા છે.

ગુરુવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે આરોગ્યકર્મીઓએ જે માંગણીઓ કરી હતી, તેમાંથી 1 માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી. તે સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી.  કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી.

‘2 દિવસમાં ફરજ પર પાછા ફરો’

આરોગ્યમંત્રી ઋષિકેશે વધુમાં કહ્યુ હતુ કે આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં ફરજ પર પરત ફરો, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સરકાર ચલાવી લે નહીં. બીજી બાજુ આરોગ્યકર્મીચારીઓ સખત વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી સરકારની ઊંઘ ઉડી ગઈ છે.

કેમ સરકાર આરોગ્યકર્મીઓની માંગો સ્વીકારતાં નથી?

1. એકને આપે તો બીજાને આપવું પડે

જો સરકાર આરોગ્યકર્મચારીઓની માંગણીઓ સ્વીકારે તો અન્ય જાહેર ક્ષેત્રોના કર્મચારીઓ પણ સમાન માંગણીઓ સાથે આગળ આવી શકે છે. આ સરકાર માટે એક દાખલો બની શકે છે, જે ભવિષ્યમાં વધુ હડતાળો અને માંગણીઓને આમંત્રણ આપી શકે છે.

2. નાણાકીય અસરો

આરોગ્યકર્મચારીઓની માંગણીઓ જેવી કે ગ્રેડ-પે સુધારણા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ, તેનો અમલ કરવાથી સરકાર પર નાણાકીય બોજ વધી શકે છે. સરકાર આવા ખર્ચને ટાળવા અથવા નિયંત્રણમાં રાખવા માંગતી હોઈ શકે છે.

3. રાજકીય વિચારણાઓ

સરકારનું વલણ રાજકીય પરિબળોથી પણ પ્રભાવિત હોઈ શકે છે. માંગણીઓ સ્વીકારવાથી સરકાર નબળી દેખાઈ શકે છે, જે તેની સત્તા અને નિયંત્રણની છબીને અસર કરી શકે છે. વિપક્ષ, જેમ કે કોંગ્રેસ પાર્ટી, આરોગ્યકર્મચારીઓને સમર્થન આપી રહી છે અને સરકારની ટીકા કરી રહી છે, જે સરકારના સખત વલણને વધુ મજબૂત કરી શકે છે.

સરકાર આરોગ્યકર્મચારીઓની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી કારણ કે તે આવશ્યક સેવાઓમાં વિક્ષેપ, નાણાકીય બોજ, રાજકીય પરિણામો અને ભવિષ્યની હડતાળોની શક્યતાઓથી ચિંતિત છે. જોકે, આરોગ્યકર્મચારીઓ પોતાની લડાઈ ચાલુ રાખવા નિશ્ચિત છે, અને આ સંઘર્ષ હજુ ચાલુ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: હરિયાણાથી પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

આ પણ વાંચોઃ Ahmedabad: ચાંદખેડામાં કાર AMTS બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ, એકનું મોત

આ પણ વાંચોઃ Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચોઃ Valsad: બાળક અને પત્નીને ઝેર આપી પતિએ કર્યો આપઘાત, શું છે કારણ?

Related Posts

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
  • October 27, 2025

છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા Heavy…

Continue reading
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
  • October 27, 2025

Ahmedabad  Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 2 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 12 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 15 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 9 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 5 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 25 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!