શું આવું બોલીને મંત્રી મનસુખ માંડવિયાએ PM Modiના “મનનું સુખ” બગાડ્યું!!?

  • મોદી સરકારના 10 વર્ષ પછીય તંત્રને કહેવું પડે કે ઢીલી કામગીરી નહીં ચાલે!!
  • જૂનાગઢના મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં મનસુખ માંડવીયાની અધિકારીઓને સૂચના

Junagadh । પ્રધાનમંત્રી મોદી પોતાના લાંબા હાથથી પોતાની પીઢ થપથપાવીને તંત્રને સીધું દોર કરી નાંખ્યું હોવાના બણગાં ફૂકતાં હોય છે. પણ, બાબુશાહીમાં લવલેશ સુધારો થયો નથી એ વાસ્તવિકતા છે. જોકે, ભાજપા સરકાર હંમેશા સીધી રીતે પોતાની નિષ્ફળતાનો સ્વિકાર કરતું નથી. અથવા તો નિષ્ફળતાનો સ્વિકાર કરવાની નૈતિકતા ભાજપીઓમાં છે જ નહીં. આખું વર્ષ મોદીનાં મનની વાતો સાંભળનારા નેતાઓ ભુલથી પોતાના મનની વાત કરી નાંખે છે એવું જ આજે કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાથી કદાચ થઈ ગયું હોય એવું લાગે છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આયોજિત તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જાહેર મંચ પરથી અધિકારીઓને કડક સૂચના આપી હતી કે, મજૂર માણસનો એક કાગળ 15 દિવસે અધિકારી સુધી પહોંચે છે, તંત્રની આટલી ઢીલી કામગીરી આ શાસનમાં નહીં ચાલે.

માંડવિયાએ કહ્યું હતું કે, મેં વહીવટી તંત્રને સૂચના આપી છે, જે બાબતે મેં કલેક્ટર સાથે વાત કરી છે. જન પ્રતિનિધિઓને હળવાશથી ના લેશો, જન પ્રતિનિધિ લોકશાહીની અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાચા આપનાર માધ્યમ છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની અપેક્ષા છે, જન પ્રતિનિધિઓ જનતા વચ્ચે ઝુકે. વહીવટી તંત્ર ટાઈટ ચાલે એ આ શાસનની અંદર સંભવ નથી અને હું છું ત્યાં સુધી તો નથી જ, ત્યારે સંવેદનાથી કામ થાય એવી મારી અપેક્ષા છે.

કેન્દ્રિય મંત્રીની સમગ્ર વાત એક રીતે તો ઈશારો છે કે, મોદી સરકાર 10 વર્ષેય તંત્ર પર પૂરી પક્કડ બનાવી શકી નથી. માંડવીયાના શબ્દોમાં એકરીતે તો એકરાર છે કે, મોદીની ડબલ એન્જિન સરકાર વહીવટી તંત્રને સીધો દોર કરી શકી નથી. બાકી, જો બધું મોદી સાહેબના કહેવા પ્રમાણે ચુસ્ત દુરુસ્ત હોય તો આજે માંડવીયાને આવી વાતો કરવાની કોઈ જરૂર રહેત જ નહીં.

માંડવીયા અગાઉ પણ ઘણાં ભાજપી નેતાઓ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોના ભાજપી કાઉન્સિલરો બળાપો કાઢી ચૂક્યાં છે કે વહીવટી તંત્ર તેમને ગાંઠતું નથી. જો બહુમતથી ચૂટાયેલા કાઉન્સિલરને વહીવટી તંત્ર ગાંઠતું ના હોય તો હોંશે હોંશે કમળનું બટન દબાવનારાઓને તો તંત્ર કેટલો ભાવ આપતું હશે?

એકંદરે, ભાજપ સરકાર ગાજરની પૂપુડી વગાડીને કાર્ય સંપન્ન કર્યું હોવાનો ડંકો પીટ્યા કરે છે. બાકી, સત્તા ભૂખ્યાં રાજકારણીઓને બની બેઠેલાં જન પ્રતિનિધિઓને જનતાની સ્હેજેય પડી ના હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે.

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 2 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 2 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 6 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 14 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 7 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 17 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!