Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?

  • India
  • April 13, 2025
  • 5 Comments

CM Yogi’s statement on Waqf: જ્યારથી વક્ફ બીલ કાયદો બની ગયું છે ત્યારથી દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મુસ્લીમો કહી રહ્યા છે વક્ફ કાયદો અમને નુકસાન કરનારો છે. જેથી આ કાયદાનો દેશભરમાં મુસ્લીમો વિરોધ કરી રહ્યા છે. વક્ફ પર રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. યોગીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 1976માં કોંગ્રેસે બંધારણમાં સુધારો કર્યો હતો. જેમાં કેટલાંક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. જેની સામે બાબા સાહેબે પોતે દલીલ કરી હતી. ડૉ. આંબેડકરના અંતિમ સંસ્કાર બૌદ્ધ વિધિઓ અનુસાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ચૈત્યભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા.

સીએમ યોગી ખોટું બોલે છે?

જોકે બાબા સાહેબે સુધારા પર વિરોધ કર્યો હોય તેની પુષ્ટી થતી નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નિધન 6 ડિસેમ્બર, 1956ના રોજ થયું હતું, જ્યારે 42મો બંધારણીય સુધારો 1976માં લાગુ કરવામાં આવ્યો હતો. આથી આંબેડકરે સુધારાનો વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે તે સમયે તેઓ જીવિત હતા.

સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસે દિલ્હીમાં આંબેડકરના અંતિમ સંસ્કાર થવા દીધા નહીં. આ જૂના પક્ષે ભારતીય બંધારણના નિર્માતાનું સ્મારક બનાવવાનો ઇનકાર કર્યો હતો. આ એ લોકો છે જેમણે બાબા સાહેબ આંબેડકરને ચૂંટણી હારવા દીધા હતા. તેમના ‘મહા પરિનિર્વાણ’ પછી, એક સ્મારક પણ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

યોગીએ કહ્યું કે કોંગ્રેસે દિલ્હીમાં ભીમરાવના અંતિમ સંસ્કાર ન કરવા દીધા. તે પણ ખોટું  હોઈ શકે છે કારણ કે બાબા સાહેબના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ કર્યો હોય તેવા કોઈ તથ્યો નથી.

વકફના નામે હજારો એકર જમીન પર કબજો

મુખ્યમંત્રીએ વક્ફ સુધારા કાયદા અંગે પણ વિપક્ષ પર નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું કે વકફના નામે હજારો એકર જમીન પર કબજો કરવામાં આવ્યો છે. વકફ પાસે તેનો કોઈ મહેસૂલ રેકોર્ડ નથી. હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે ત્યારે કેટલાક લોકો હિંસા ભડકાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ હિન્દુઓને તેમના ઘરમાંથી ખેંચીને મારી નાખવામાં આવ્યા. આજે યુપીના તે લોકો દલિત તરફી હોવાની વાત કરે છે. તેમના પક્ષો સાથે જોડાયેલા લોકોએ ગરીબો, વંચિતો અને દલિતોની મોટાભાગની જમીનો પર કબજો જમાવી લીધો છે.

આ પણ વાંચોઃ

ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das

Ahmedabad: બોપલ બ્રિજ પર ડમ્પરે બાઈકચાલકને ઉલાળ્યો, બહેનના ઘરે જમવાનું લેવા પહોંચે તે પહેલા મોત

પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad

Bet Dwarka: દબાણો હટાવવાની કામગીરી દરમિયાન નીકળ્યું પ્રાચીન હનુમાનજીનું મંદિર, વાંચો વધુ

Related Posts

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ
  • September 18, 2026

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડમાં 1,320 મેગાવોટની કોલસા આધારિત વીજળી ખરીદી પરિયોજનાને લઈને રાજકીય વિવાદ તેજ બન્યો છે. કોંગ્રેસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની BJP સરકાર પર આરોપ લગાવ્યો…

Continue reading
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો
  • September 18, 2026

Rice Production Decline India: ભારતમાં ચાલુ વર્ષે ચોખાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની આશંકા છે. ઓછા વરસાદ અને પાક તૈયાર થવાના મહત્વપૂર્ણ તબક્કામાં પૂરતી ભેજ ન મળવાને કારણે આ વર્ષે ચોખાનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 1 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 4 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 4 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી